પ્લાસ્ટિકની ફેક્ટરીમાં પરપ્રાંતિય શ્રમિકને વીજ કરંટ લાગતા મોત

  • February 06, 2024 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરના જુના બંદર રોડ પર પ્લાસ્ટિકની ફેક્ટરીમાં પરપ્રાંતિય શ્રમિકને વીજ કરંટ લગતા મોત નીપજ્યું હતું. જુના બંદર રોડ પર આવેલી પ્લાસ્ટીકની ફેકટરીમાં આજે સમી સાંજના સુમારે કામ કરતી વેળાએ વીજ શોક લાગ્યો હતો. જે શ્રમિકને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં શ્રમીકનુ મોત નીપજ્યું હતું. બનાવને પગલે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં શ્રમીકો પહોંચ્યા હતા.


આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના જુના બંદર રોડ પર આવેલી અંબીકા પ્લાસ્ટીક ફેકટરીના ગોડાઉનમાં રહેતા મુળ બિહારના વતની નિરજકુમાર રાજેન્દ્ર કાઝી (ઉ.વ. ૨૩) અને અભીનાશકુમાર શ્રીસુનિલ મહતો (ઉ.વ. ૨૪) આજે સાંજના સાત કલાકના અરસા દરમિયાન ફેકટરીમા મશીન ઉપર કામ કરી રહ્યા હતા. તે વેળાએ એકાએક બન્નેને વીજ કરંટ લાગતા તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન ફરજ પરના ડોકટરે નિરજકુમાર રાજેન્દ્ર કાઝીને મૃત જાહેર કર્યા હતા. ઉક્ત બનાવના પગલે ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ ગંગાજળીયા પોલીસને થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો. અને બનાવ અંગે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં શ્રમીકો પહોંચ્યા હતા. અને પરપ્રાંતિય શ્રમિક યુવાનનું મોત થતા શોક છવાયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application