ભાજપ દ્વારા સંગઠન પર્વમાં ચાલતું સદસ્યતા અભિયાન

  • September 19, 2024 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય જનતા પક્ષ દ્વારા ચાલી રહેલાં સંગઠન પર્વમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલે રાષ્ટ્ર હિત માટે ભાજપમાં જોડાવાં અનુરોધ કર્યો હતો. વિશ્વનાં સૌથી મોટા પક્ષ ભાજપ દ્વારા સંગઠન પર્વમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. આ સંદર્ભે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી  રઘુભાઈ હુંબલે જણાવ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં રાષ્ટ્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય વિકાસ કરી રહેલ છે, જે સૌ જાણીએ છીએ. ભારતીય જનતા પક્ષની વિચારધારા સાથે જોડાયેલાં કાર્યકર્તાઓ દ્વારા સંગઠન પર્વમાં કામગીરી ચાલી રહી છે, જેમાં સૌનાં સહયોગની આવશ્યકતા હોય છે. સદસ્યતા નોંધણી અભિયાન ચાલી રહેલ છે તે દરમિયાન રાષ્ટ્ર હિત માટે આદર્શ વિચારધારા સાથે ભાજપમાં સદસ્ય તરીકે જોડાવાં સૌને પ્રદેશ મંત્રી  રઘુભાઈ હુંબલનો અનુરોધ રહેલો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application