વૃદ્ધોને અપાઈ સ્વાસ્થ્ય સંબંધી જરૂરી માહિતી: આયુર્વેદ અને પર્યાવરણીય દ્રષ્ટિએ મહત્વના વૃક્ષોનું આરોપણ કરાયું
ભારત સરકારના આયુષ મંત્રાલયના 100 દિવસના કાર્યક્રમ અંતર્ગત રાજ્યની આયુષની કચેરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. વિવેક વી. શુક્લના સીધા માર્ગદર્શન હેઠળ દ્વારકા ખાતે તાજેતરમાં વૃદ્ધ લોકો માટે મેગા જેરીયાટ્રીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં શરીરનુ સ્વાસ્થ્ય જાળવવા પ્રથમ યોગ સેશનનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને આયુર્વેદ પદ્ધતિથી નિદાન કરી, આયુર્વેદમાં વૃદ્ધાવસ્થા જન્ય રોગોમાં અતિ ઉપયોગી એવી રસાયન દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય રક્ષા બાબતે વર્ષાઋતુમાં હિતકારી અને અહીતકારી આહાર દ્રવ્યોનું અને વ્યસન મુક્તિ બાબતે પ્રદર્શનની રાખવામાં આવી હતી. જેનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો હતો. ઔષધોની ઉછેર ભાગરૂપે આયુર્વેદ ખૂબ ઉપયોગી માનવામાં આવતા એવા લીમડા, ગળો, અરડુસી, સરગવો વિગેરેના રોપાનું વૃક્ષારોપણ કરાયું હતું.
આ કેમ્પને સફળ બનાવવા યોગ ઇન્સ્ટ્રક્ચર શનીભાઈ પુરોહિત, આરતીબેન જોષી તેમજ શાખાના અભિષેકભાઈ મહેતા અને વૈશાલીબેન મહેતાએ જહેમત ઉઠાવી હતી. આગામી સમયમાં આ જ રીતે અન્ય 10 થી વધુ કેમ્પમાં જિલ્લાના વિવિધ સ્થળે આયોજન થશે તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech