મેયર અને ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ફિલ્ડમાં : હાઈરાઈઝ બિલ્ડીંગની સાઈટો તેમજ રૈયાધાર ઝૂપડપટ્ટીની સ્થળ વિઝીટ કરી

  • June 13, 2023 12:55 PM 

બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેમની તીવ્રતા ખુબ જ છે. જેના અનુસંધાને તમામ તંત્રો એલર્ટ થઇ ગયા છે. રાજકોટ મહાનગરપાલિકા પણ વાવાઝોડાના અનુસંધાને ઝુંબેશના રૂપમાં જુદા જુદા પગલાં લઈ રહી છે. આ કામગીરી અનુસંધાને મેયર ડૉ. પ્રદિપ ડવ તથા ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયાએ આજ રોજ સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઇ લોકોના સ્થળાંતર, હોર્ડિંગ અને બેનર હટાવવા, બાંધકામ સાઈટ અને ભંગારના ડેલા બંધ રખાવવા સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ સ્લમ વિસ્તારના લોકોને વાવાઝોડાની ગંભીરતા સમજાવી સ્થળાંતર માટે સમજાવ્યા હતા.
​​​​​​​
      

વાવાઝોડા અંતર્ગત આજરોજ મેયર ડૉ. પ્રદિપ ડવે અલગ અલગ વિસ્તારમાં ચાલી રહેલા હાઈરાઈઝ બિલ્ડીંગ બાંધકામની મુલાકાત લીધી હતી. બહાર ઝુપડામાં રહેતા બાંધકામના શ્રમિકોને અંદર સલામત સ્થળે ખસેડવા તેમજ આજથી તા. ૧૫ જુન સુધી બાંધકામ સાઈટ બંધ રાખવા વિનંતી કરી હતી.

આ ઉપરાંત વોર્ડ નં.૧માં આવેલા રૈયાધાર ઝુપડાપટ્ટીની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન કાચા અને ઝુપડા મકાનમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા સમજાવવામાં આવ્યા હતા તેમજ અધિકારીઓને પણ આજુબાજુની સ્કૂલોમાં આવા લોકોનું સ્થળાંતર કરવા અને ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ભંગારના ડેલાના ધંધાર્થીઓને ડેલા બંધ રાખવા સમજાવવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application