છેલા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી નો સામનો કરી રહેલા ગુજરાતના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક જોરદાર પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રના ભાવનગર સહિત શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ થયો છે અને આવી જ રીતે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ થયો હોવાના વાવડ મળી રહ્યા છે.ભાવનગર શહેરમાં આજે સવારે 6:30 વાગ્યાથી વાતાવરણમાં એકાએકા જોરદાર પલટો આવ્યો હતો. અને વરસાદ શરૂ થઇ ગયો હતો. 15થી20 મીનીટ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. અને તેના કારણે સવારે વાતાવરણમાં ગરમીમાં રાહત મળી હતી. પરંતુ સુર્ય નારાયણના દર્શન થતાં ગરમી અને બફારો વધી ગયો હતો. ભાવનગર ઉપરાંત બુધેલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.
રાજ્યભરમાં આગામી ચાર-પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાન નો પારો ઉચકાશે અને ગરમીમાં કોઈ પ્રકારની રાહત નહીં મળે તેવી આગાહી હવામાન ખાતાએ કરી હતી પરંતુ માવઠું થશે તેવી કોઈ આગાહી નથી આમ છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ સુરત શહેરમાં અને તેની આસપાસના વિસ્તાર અડાજણ કતારગામ માવઠું થયું છે. બીલીમોરામાં પણ વરસાદ થયો હોવાના વાવડ મળે છે. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં અને તાપી જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ થયો છે. વાલોદ, ડોલવણ સહિતના વિસ્તારમાં વરસાદનું જોર વધુ રહ્યું હોવાનું જાણવા મળે છે. છોટા ઉદેપુર જિલ્લામાં પણ અનેક જગ્યાએ વરસાદ થયો હોવાના વાવડ મળી રહ્યા છે. નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને ગમે ત્યારે વરસાદ થાય તેવી શક્યતા છે.
બદલાયેલા વાતાવરણની અસરના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક જોરદાર વધી ગયું છે. આજે સવારે દ્વારકામાં 84 કંડલામાં 78 નલિયામાં 74 પોરબંદરમાં 78 વેરાવળમાં 80 અને રાજકોટમાં 80% ભેજ નોંધાયો છે.
તોફાની ગતિ સાથે ફુકાયેલા પવન અને વરસાદના કારણે કેરી અને ચીકુના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદ અમરેલી રાજકોટ વડોદરા, ડીસા ગાંધીનગર સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech