હસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ

  • March 31, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાલીતાણા નજીક આવેલા હસ્તગીરી ડુંગર પર લાગેલી  આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.અને  આગ બેકાબૂ બની  રહી છે. જંગલનો મોટો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. 
ડુંગર પર લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે પાલીતાણા ફાયર વિભાગની ટીમ સાથે તળાજા તાલુકાની ટીમને પણ સ્ટેન્ડબાય 
રાખવામાં આવી છે. આ ડુંગર પર મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓનું વિચરણ થતું હોવાથી તંત્ર સતર્ક બન્યું છે.  ભાવનગરના ઉઋઘના જણાવ્યા મુજબ, ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે તૈનાત છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે અત્યાર સુધી કોઈ વન્યજીવને નુકસાન થયું નથી.  ફાયર વિભાગની ટીમ જંગલના રેવન્યુ વિસ્તારમાં આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે. જો કે, ડુંગરની ઊંચાઈ પર લાગેલી આગ પર પાણીનો છંટકાવ કરવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application