જાફરાબાદમાં કચરાનું રિસાયક્લિંગ કરતા કારખાનામાં ભીષણ આગ, ફાયરની 8 ગાડી દોડી ગઈ, ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

  • March 29, 2025 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાફરાબાદના બાબરકોટ ગામ પાસે કચરાનું રિસાયક્લિંગ કરતા કારખાનામાં ભીષણ આગ લાગતા ફાયરની 8 ગાડી દોડી ગઈ છે. આગને કારણે કારખાનામાં અફરાતફરીનો માહલો સર્જાયા છે. ઘટનાને પગલે જાફરાબાદના મામલતદાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા છે. આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગ એટલી વિકરાળ બની છે કે, બે કિલોમીટર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.


આગ પર કાબૂ મેળવવા માટે રાજુલા અને જાફરાબાદની નગરપાલિકાની ફાયરની ટીમ, પીપાવાવ પોર્ટની ટીમ, સિન્ટેક્સ કંપનીની ટીમ અને અલ્ટ્રાટેક કંપની સહિતની આઠ જેટલી ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.


આગ લાગવાનું કારણ હજી અકબંધ
મળતી માહિતી મુજબ, હાલમાં આગ સતત વધી રહી છે, જેના કારણે અમરેલી જિલ્લા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે જવા રવાના કરવામાં આવી છે. આ આગ કયા કારણસર લાગી એ હજી સુધી જાણી શકાયું નથી, જોકે આગને કારણે મોટું આર્થિક નુકસાન થવાની સંભાવના છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application