રાજકોટ મોરબી રોડ પર આવેલા બેડી વાછકપર ગામ પાસે આવેલી વોર્થ વિલ નામની ફેક્ટરીમાં આજરોજ ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. વિકરાળ આગને બુજાવવા માટે રાજકોટ ફાયર સ્ટેશનથી ત્રણ અને મોરબી ફાયર સ્ટેશનથી એક ફાયર ફાઈટર અહીં દોડાવવામાં આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી હતી. આગની આ ઘટનામાં ફેક્ટરીમાં રહેલ મોટાભાગનો માલ બળીને ખાખ થઈ ગયો હોય મોટાપાયે નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. સવારના અહીં માલ લોડીંગ કરતા સમયે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
આગ એટલી વિકરાળ હતી કે, હાઈવે પર દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા હતા અને બપોર બાદ સુધી ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી છતાં આગ પણ સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાયો ન હતો.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ મોરબી રોડ પર બેડી વાછકપર પર ગામે વોર્થ વિલ લિમિટેડ નામની કંપ્નીની ફેક્ટરીમાં આજરોજ સવારના સુમારે આગ ભભૂકી ઊઠી હતી. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા એક બાદ એક ત્રણ ફાયર ફાઈટર અહીં આગ ઓલવવાની કામગીરી માટે દોડાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં મોરબીથી પણ ફાયર ફાઈટર અહીં દોડાવી આ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, વોર્થ વિલ નામની આ ફેક્ટરીમાં ગાદલા બનાવવાની કામગીરી થાય છે. ફેક્ટરીના માલિક પિયુષભાઈ બાંભવા હોવાનું જાણવા મળ્યું છે. આજરોજ અહીં માલ લોડિંગનું કામ ચાલી રહ્યું હતું તે સમયે એકાએક આગ ભભૂકી ઊઠી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડા હાઇવે પર દૂર દૂર સુધી દેખાતા હતા. એટલું જ નહીં આગની આ ઘટનામાં અહીં ફેક્ટરીમાં રહેલ મોટા ભાગનો માલ બળીને ખાખ થઈ ગયો હોવાથી મોટાપાયે નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. રાજકોટ અને મોરબીની ફાયર ટીમો દ્વારા આ લખાઈ રહ્યું છે ત્યારે પણ આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ફેક્ટરી માલિક માઠા પ્રસંગે પરિવાર સાથે ગામડે ગયા હતા
મોરબી રોડ પર બેડી વાછકપર ગામ પાસે આવેલી વોર્થ વિલ લી. નામની ફેક્ટરીમાં આજરોજ સવારના સુમારે વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. આ ફેક્ટરી પિયુષભાઈ બાંભવાની હોવાનું જાણવા મળ્યું છે. તેમનો સંપર્ક કરતા એવું જાણવા મળ્યું હતું કે, પિયુષભાઈના દાદાનું અવસાન થયું હોય અને તેમની ઉત્તરક્રિયા માટે તેમનો પરિવાર ગામડે ગયો ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech