એસ.ટી.બસ સ્ટેન્ડમાં સમુહ સફાઇ યોજાઇ: ૧૨.૪૨ ટન કચરાનો નિકાલ

  • December 18, 2023 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેયર વિનોદ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના સફાઇમાં જોડાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શહેરમાં આવેલ એસ.ટી સ્ટેન્ડ તેમજ નગર બસ સેવા સ્ટોપમાં સફાઈ શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી, તેમજ તમામ મ્યુની. સભ્યો દરેક શાખાના શાખા અધિકારી,શાખાના કર્મચારીઓ અને બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે કાર્યક્રમમાં શ્રમદાન માટે જોડાયા અને શ્રમદાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા તેમજ એસ.ટી. બસના  કર્મચારીઓ,  સ્થાનિક લોકો અને  સફાઈ કર્મચારીઓ દ્વારા આશરે ૧૦૭૮ કલાક જેટલું શ્રમદાન આપવામાં આવ્યું  હતુ. જેમાંથી એકત્રિત થયેલ કચરાનું ૦૪ ટ્રેક્ટર  તમજ કચરા નિકાલ વાહન મારફત આશરે ૧૨.૪૨ ટન જેટલા ગાર્બેજનો નિકાલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application