છોટીકાશીમાં વટસાવિત્રી પૂર્ણિમાની ઉજવણી પરીણીતાઓએ કર્યુ વડ પૂજન

  • June 21, 2024 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છોટીકાશી કહેવાતા જામનગરમાં આજે જેઠ માસની પૂર્ણિમાએ વટસાવિત્રી વ્રતની ઉજવણી નિમિત્તે પરીણીતાઓ દ્વારા પરંપરાગત રીતે વડ પૂજન કરવામાં આવ્યું હતું.સાવિત્રી દેવી પોતાનાં તપોબળથી યમરાજ પાસેથી પોતાનાં પતિનો ઔજીવ પરત લાવ્યા હતા એ પૌરાણિક કથા અનુસાર પરીણીતાઓ પતિનાં દિધર્યિુ માટે આજે વ્રત કરી વડપૂજન કરે છે.  આ વ્રતમાં દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે. સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે તથા યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે.જામનગરમાં હવાઇ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ સવાસો વર્ષથી વધુ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરે વટ સાવિત્રી વ્રતની ઉજવણી માટે પરીણીતાઓ ઉમટી પડી હતી. મંદિર પરીસરમાં આવેલ વડલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પરીણીતાઓને વિધીવત પૂજન કરાવી વ્રતની કથા સંભળાવવામાં આવી હતી. આ ઉપરાંત પણ વિવિધ વડનું વૃક્ષ ધરાવતા વિવિધ મંદિરોમાં વટસાવિત્રી વ્રત ઉજવાયું હતું અને પરીણીતાઓએ બહોળી સંખ્યામાં પૂજન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application