લોધિકા તાલુકાના પાળ પીપળીયા ગામે રહેતી પરિણીતાને તેની માતાના પ્રેમીએ ઘરે આવી ઢીકાપાટુ અને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેની ધમકીથી ડરી જઇ પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પરિણીતાના માતા તેના પ્રેમીને ઘરે રાખવા માંગતા હોય જેનો વિરોધ કરતા આ હુમલો કર્યો હતો.આ અંગે લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનવાની જાણવા મળતી વિગતો મુજબ,લોધિકા તાલુકાના પાળ પીપળીયા ગામે અવધ રેસીડેન્સી બ્લોક નં.૧૫૭ માં રહેતી દિક્ષીતાબેન આનંદભાઇ ખારેચા(ઉ.વ ૨૧) દ્વારા લોધિકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં સંજય રામભાઇ વાળા(રહે.આદર્શ સોસાયટી, પાળ પીપળીયા તા.લોધિકા) નું નામ આપ્યું છે.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૩/૩ ના રોજ તે ઘરે હતી અને પતિ કામ સબબ બહારગામ ગયો હોય દરમિયાન આરોપી સંજય અહીં ઘરે ધસી આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે,તારો ઘરવાળો કયાં છે જેથી પરિણીતાએ કહ્યું હતું કે, તે ઘરે નથી.બાદમાં સંજયે કહ્યું હતું કે, તે મને ફોનમાં ગાળો કેમ આપી હતી? જેથી પરિણીતાએ કહ્યું હતું કે,તમે મારા પતિને ફોનમાં કેમ ગાળો આપી? બાદમાં સંજયે ઉશ્કેરાઇ જઇ ગાળો આપી ધક્કો મારી ઝાપટ અને ઢીકાપાટુનો મારમાર્યો હતો.દરમિયાન પરિણીતાએ દેકરો કરતા અહીં આસપાસ લોકો આવી જતા તેને વધુ મારમાથી બચાવી હતી.આ સમયે સંજયે કહ્યું હતું કે, તારા પતિને બોલાવ આજ તો તમને બંનેને મારી જ નાખવા છે. અને કહ્યું હતું કે, મને તારી માતા આશાએ અહીં મોકલ્યો છે. તારી માતાને તું કંઇ કહેતી નહીં તેવી ધમકી આપી જતો રહ્યો હતો.આ હુમલામાં પરિણીતાને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
બનાવ બાદ આરોપી સંજય સાથે સમાધાનની વાતચીત ચાલતી હોય જેથી તેણે જે તે સમયે ફરિયાદ કરી ન હતી.બાદમાં પરિણીતા શાપરમાં દાદાના ઘરે હતી ત્યારે અહીં પણ આ સંજયે આવી ધમકી આપતા તેની ધમકીથી ડરી જઇ પરિણીતાએ ફિનાઇલ પી લીધું હતું બાદમાં તેણે સંજય વાળા વિરૂધ્ધ આ ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે,તેની માતા આશાબેનને પિતા બિપીનભાઇએ ઘરેથી કાઢી મૂકી હોય અને મકાન માતાના નામે હોય તે મકાનમાં તેના પ્રેમી સંજય વાળાને રાખતી હોય જેથી આ બાબતે પરિણીતાએ વિરોધ કરી માતાને સંજયને અહીં નહીં રાખવા જણાવતા તેનો ખાર રાખી આ સંજયે હુમલો કરી ધમકી આપી હતી.આ અંગે લોધિકા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૦૭ મે,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
May 06, 2025 05:50 PMઉનાળામાં આ રીતે સ્ટોર કરો મખાના, લાંબા સમય સુધી નહીં બગડે
May 06, 2025 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech