રતન તાતાના અંતિમ દર્શન માટે અનેક દિગ્ગજો પહોંચ્યા

  • October 10, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રતન તાતાના અંતિમ સંસ્કાર માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્ર સરકાર વતી અમિત શાહ મુંબઈ પહોંચ્યા રતન તાતાને શ્રદ્ધાંજલિ આપી છે આ ઉપરાંત રતન તાતાને શ્રદ્ધાંજલિ આપવા માટે અંબાણી પરિવાર પણ પહોંચ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ રતન તાતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી પણ સાથે હતા.આ ઉપરાંત રતન તાતાના અંતિમ દર્શન કરવા અજિત પવાર, એકનાથ શિંદે, સહિત વિવિધ પક્ષોના ટોચના નેતાઓ આવી પહોંચ્યા હતા, અમિત શાહે એક કાર્યક્રમ દરમિયાન રતન તાતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, ’ગઈકાલે શ્રી રતન તાતાનું નિધન થયું. હું રતન તાતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application