સ્વાન્ત: સુખાય એટલે કે બીજાના સુખે સુખી થવાનો જે પરમ આનદં વ્યકિતને પ્રા થાય છે તે અવર્ણનીય હોય છે. સ્વચ્છતા સર્વેક્ષણ–૨૦૨૪ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આવા ઉમદા આશય સાથે શહેરમાં કુલ પાંચ સ્થળોએ ટિ્રપલ–આર (રિડુસ, રિયુઝ એન્ડ રિસાયકલ) કેન્દ્રો શ કરવામાં આવેલ છે.
આ કેન્દ્રો શ કરવાનો ઉદેશ ગરીબ વર્ગના જરૂરીયાતમદં લોકોને ઉપયોગી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ બનાવી તેઓના ચહેરા પર સ્મિત લાવવામાં મદદપ થવાનો છે. સમાજમાં વાંચન પ્રવૃતિને પ્રોત્સાહન મળે, આંગણવાડીઓના બાળકોને રમકડાં મળી રહે તથા જરીયાતમદં ગરીબ લોકોને કપડાં અને બુટ જેવી ચીજવસ્તુઓ ઉપલબ્ધ બનાવવા માટેના આ અભિયાનને નાગરીકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
નાગરીકો પાસેથી ઉપરોકત ચીજ વસ્તુઓ ભેટ સ્વપે કેન્દ્ર ખાતે સ્વીકારવામાં આવી રહી છે. શહેરીજનો દ્રારા ઉપયોગમાં લેવાઇ ચૂકેલા અને હાલ વણવપરાયેલા પડી રહેલા પુસ્તકો, રમકડાં, કપડા અને બુટ વગેરે જેવી ચીજવસ્તુઓ ગરીબ સમુદાયના લોકો સુધી પહોચાડવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં રાજકોટ શહેરના વધુને વધુ નાગરીકો સામેલ થાય અને આ ઉમદા પ્રવૃતિમાં પોતાનું યથોચિત યોગદાન આપે તેવી મહાનગરપાલિકા દ્રારા અપીલ કરાઇ છે
રાજકોટવાસીઓએ ૧૯,૬૪૧ વસ્તુઓ ઠાલવી
સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શ કરાયેલા ટિ્રપલ આર સેન્ટરમાં રાજકોટવાસીઓએ દાનનો દરીયો વહાવ્યો હતો. કુલ ૧૧,૩૭૪ પુસ્તકો, ૧૦૬૯ રમકડાં, ૫૮૮ જોડી બુટ તથા ૬૬૧૦ કપડાં મળી કુલ ૧૯,૬૪૧ વસ્તુઓ કેન્દ્રમાં ઠાલવી ગયા હતા.
નકામી ચીજ–વસ્તુઓ આપવા માટેના પાંચ કેન્દ્રો
(૧) વોર્ડ નં.૯માં બાબુભાઇ વૈધ લાઇબ્રેરી, ચંદન પાર્ક મેઇન રોડ (૨) વોર્ડ નં.૨માં દતોપતં ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ, (૩) વોર્ડ નં.૪માં ચાણકય પુસ્તકાલય, ગોવીંદ બાગ શાક માર્કેટ પાસે, પેડક રોડ (૪) રૈયાધાર એમઆરએફ સેન્ટર (૫) કેડીએફની બાજુમાં એમઆરએફ સેન્ટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech