દિવાળીનો તહેવાર મીઠાઈ અને વાનગીઓ વિના અધૂરો છે. 5 દિવસ સુધી ચાલનારા આ તહેવારની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. દિવાળી એક એવો તહેવાર છે જેમાં લોકો માત્ર તેમના પરિવાર સાથે જ નહીં પરંતુ તેમના મિત્રો અને સંબંધીઓ સાથે પણ ઉજવે છે. લોકો એકબીજાને ભેટ આપે છે અને ઘણી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણે છે.
કેટલાક લોકો ખાસ કરીને તેમના ઘરે દિવાળી પાર્ટીઓનું આયોજન કરે છે. તેથી, દિવાળીની મજા બમણી કરવા માટે ઘરે જ વિવિધ પ્રકારની મીઠાઈઓ અને નાસ્તા બનાવી શકો છો. આવો અમે તમને આ ખાસ અવસર માટે સ્વાદિષ્ટ નાસ્તા વિશે જણાવીએ, જેને ખાધા પછી દરેક વ્યક્તિ તમારા વખાણ કરશે.
દહીં વડા
જો તમારે દિવાળી પર હળવો અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવવો હોય તો તમે દહીં વડા બનાવી શકો છો. આ માટે તમારે અડદની દાળ, દહીં અને મસાલાની જરૂર પડશે. દિવાળીની પાર્ટી દરમિયાન તમે મહેમાનોને આમલીની ચટણી સાથે દહી વડા સર્વ કરી શકો છો.
મગની દાળનો હલવો
આ ખાસ તહેવાર પર મગની દાળનો હલવો પણ બનાવી શકો છો. આ વિકલ્પને તમે સ્વીટ ડિશમાં રાખી શકો છો, તેને બનાવવા માટે મગની દાળ, ઘી, ખાંડ અને ડ્રાય ફ્રૂટ્સની જરૂર પડશે. આ ખાધા પછી દરેક વ્યક્તિ તમારા વખાણ કરશે.
પકોડા
પકોડા એ સદાબહાર નાસ્તો છે. દિવાળી પર તમે બટાકા, ડુંગળી, કોબી અને પાલક સહિત તમામ પ્રકારના પકોડા બનાવી શકો છો. આને કોથમીર-ફૂદીનાની ચટણી સાથે સર્વ કરી શકો છો. લગભગ બધાને પકોડા ગમે છે.
નમક પારે
જો તમે વાનગીઓ બનાવવામાં વધુ સમય ન આપવા માંગતા હોવ તો તમે નમક પારે પણ બનાવી શકો છો. તેને બનાવવામાં ઓછો સમય લાગશે. નમક પારે પુખ્ત વયના લોકો તેમજ બાળકોને ખુબ જ હોય છે. તેને બનાવ્યા બાદ એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. જ્યારે મહેમાનો આવે, ત્યારે તેમને ચા સાથે સર્વ કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech