સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે તડામાર તૈયારીઓને આખરી ઓપ

  • March 04, 2024 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત બાર જયોર્તિલીંગમાં પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે પાવનકારી પર્વ મહાશિવરાત્રી અંગેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેનું સંપુર્ણ ચિત્ર ૫ માર્ચ સુધીમાં સ્પષ્ટ થાય તેવી ધારણા છે. સોમનાથ ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઈ એક-બે દિવસમાં જ આવી રહ્યા છે તો ટ્રસ્ટી પ્રવિણચંદ્ર લહેરી પણ સોમનાથ આવે તેવી શકયતા છે. કથાકાર મોરારીબાપુ તેઓના નિત્ય ક્રમ મુજબ મહાશિવરાત્રી પછીના દિવસે સોમનાથ આવશે તેમ મનાય છે.

સોમનાથ દર્શન કરવા જવા માટે વાહન પાર્કીંગ સાઈટથી જયાં આ પહેલા એસટી ડેપો હતો તે સ્થળેથી દર્શન કરવા ૧૨૦ મીટર લાંબો અને ૯ મીટર પહોળો સોમનાથના ભોજનાલય પાસે જોડતો ડામરનો રોડ કાર્યાન્વીત કરી દેવાયો છે અને તેની બાજુમાં જુના પથીકાશ્રમવાળી જગ્યામાં દર્શનાર્થીઓને મંદિર પ્રવેશ કરતા પહેલા પહેલી ચેકીંગ પોસ્ટ જે લગભગ ૪૮ ફુટ લાંબી ઉંચી અને સ્ત્રી-પુરૂષોની ભીડના સમયે ત્રણ-ત્રણ લાઈન એકીસાથે ચેકીંગ એન્ટ્રીમાં કતારબંધ પસાર થઈ શકે તેવી પંખા સાથેની એન્ટ્રીગેટ કેબીનો તૈયાર થઈ ચુકી છે. 


ગીર સોમનાથ જિલ્લા  કલેકટર દિગ્વીજયસિંહ જાડેજા તથા જિલ્લા  પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ફરી એક-બે દિવસમાં સોમનાથ શિવરાત્રી વ્યવસ્થાનું રૂબરૂ  નિરીક્ષણ કરશે. તાજેતરમાં ભોજનાલયથી ખોડીયાર મંદિર સુધીના રોડ ઉપરની દુકાનોના છાપરા, દબાણયુકત ઓટલા, પગથીયા નગરપાલિકા મામલતદાર, વિજળી તંત્રને સાથે રાખી દુર કર્યા અને આ રસ્તો વાહન વ્યવહાર યાત્રીકો અવરજવર માટે કેટલો સરળ અને પહોળો બને તે માટેના અન્ય વિકલ્પો અંગે પણ નિરીક્ષણ કર્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application