રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની તા.૨૨–૧–૨૦૨૪ના રોજ પુન:પ્રાણ પ્રતિા મહોત્સવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ– ચિત્રનગરીના સહયોગથી ચિત્રનગરીના કલાકારો દ્રારા શ્રીરામના મંદિર સહિત રામાયણના પાત્રો તથા પ્રસંગોના ચિત્રો કે.કે.વી.ચોક ઓવરબ્રિજના પિલર પર બનાવાશે.
તા.૨૨–૧–૨૦૨૪ની આખું ભારત દેશ રાહ જોઈ રહ્યું છે. આશરે ૫૫૦ વર્ષ પછી આ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિા થવા જઈ રહ્યું છે ત્યારે તા.૨૧–૧–૨૦૨૪ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ– ચિત્રનગરીના સહયોગથી આ દિવસે સમગ્ર ભારતની સાથે રાજકોટ પણ સહભાગી થવા જઈ રહ્યું છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ કે.કે.વી.ચોક ઓવરબ્રિજના પિલર પર ચિત્રનગરીના કલાકારો દ્રારા ભગવાન શ્રી રામના મંદિર, રામાયણના પાત્રો તથા પ્રસંગોને આવરી લેતા ચિત્રો સવારે ૯ કલાકથી સાંજે ૬ કલાક સુધી બનાવવામાં આવશે. આ પ્રોજેકટમાં કલાકારો ભગવા કપડાં પહેરી, ગળામાં જય શ્રી રામ લખેલી ખેસ તથા કપાળમાં તિલક કરી ચિત્રો બનાવશે તેમજ પૂજા હોબી સેન્ટરના ભૂલકાઓ દ્રારા સાંજે ૫ કલાકથી ૭ કલાક દરમ્યાન રામલલ્લાના પાત્રોના પહેરવેશ પહેરીને આખું વાતાવરણ ભકિતમય બનાવાશે. આ ઉપરાંત સાંજે ૭ કલાકે કલાકારોએ બનાવેલ ચિત્રો પાસે દિવડા મુકવામાં આવશે. આ પ્રોજેકટ સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમગ્ર ભારત આ દિવસે ઉજવણી કરી રહ્યું હશે ત્યારે રાજકોટવાસીઓને પણ કે.કે.વી. ચોક ઓવરબ્રિજ ખાતે ચિત્રનગરી દ્રારા તૈયાર કરવામાં આવનાર શ્રી રામ ભગવાનના ચિત્રો નિહાળવા ઉમટી પડવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech