રાજકોટ મહાપાલિકાના સસ્પેન્ડેડ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાની વધુ એક જાદુગરી ઝડપાઇ છે, માધાપર ટીપી સ્કિમ નં.૧૧માં નાના રસ્તાઓ અને શેરીઓ પણ ૪૦ ટકા કપાતમાં દર્શાવી દીધા હોય સરકારમાં મોકલાયેલો ડ્રાટ મહાનગરપાલિકાને પરત મોકલવામાં આવતા ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં દોડધામ મચી છે. દરમિયાન આ અંગે રાજકોટ મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર પંડાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે પખવાડિયા પૂર્વે માધાપરની ટીપી સ્કિમ નં.૧૧ના ડ્રાટની ફાઇલ સરકારમાંથી પરત આવી છે.
વિશેષમાં મહાનગરપાલિકાના સૂત્રોમાંથી પ્રા માહિતી અનુસાર, માધાપર ટીપી સ્કીમ નં.૧૧માં ૪૦ ટકા કપાતમાં રસ્તા મામલે જાદુગરી થયાની શંકા દર્શાવી સરકારે ડ્રાટ પરત મોકલ્યો હોવાનું જાણવા મળે છે. આ ટીપી સ્કીમમાં સર્વે નં.૫૧૧ અને ૫૧૨નો ઉમેરો કરવા તેમજ અન્ય જરી સુધારા–વધારા કરવાની સુચના આપતા દોડધામ મચી ગઇ છે.
રાજકોટ મહાપાલિકાના હદ વિસ્તારમાં બે વર્ષ પહેલા પાંચ ગામ ભેળવવામાં આવ્યા હતા. જેમાં માધાપર પણ સમાવિષ્ટ્ર હતું, આ વિસ્તારમાં ટીપી સ્કીમ લાગુ કરવાની સુચના સરકાર દ્રારા આપવામાં આવેલ તે પહેલા આ વિસ્તાર ડામાં આવતો હોય ડ્રાટ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. ત્યારે જ મનપાની હદમાં આ વિસ્તાર આવી જતાં ડ્રાટ તૈયાર કરવાની જવાબદારી ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠિયા પાસે આવી હતી. તેમના દ્રારા ડ્રાટ તૈયાર કરી સરકારમાં મંજુરી અર્થે મોકલવામાં આવેલ પરંતુ આ ટીપી સ્કીમમાં પણ જાદુગરી થયાનું પ્રાથમિક ધોરણે નજરમાં આવ્યું હતું. જેમાં ૪૦ ટકા કપાતમાં મુકવામાં આવતા મુખ્ય રસ્તાની સાથો સાથ નિયમ વિદ્ધના નાના રસ્તાઓનો પણ કપાતમાં સમાવેશ કરી બિલ્ડરો તેમજ પ્લોટ ધારકોને સ્પષ્ટ્ર લાભ આપવામાં આવ્યો હોય તેવું જણાતા સરકારે ડ્રાટ મહાપાલિકાને પરત મોકલી જરી સુધારા–વધારા સાથે નવો ડ્રાટ તૈયાર કરવાની સૂચના આપી છે.
મહાનગરપાલિકા દ્રારા ટીપી સ્કીમ તૈયાર કરવામાં આવે ત્યારે જમીન માલીકની જમીનના ૪૦ ટકા જમીન રસ્તા માટે કપાતમાં લેવામાં આવતી હોય છે. ટીપી સ્કીમના નિયમ મુજબ ૪૦ ટકા કપાતમાં ફકત મુખ્યમાર્ગેા જ લેવાના હોય છે. પરંતુ માધાપર ટીપી સ્કીમ નં.૧૧માં મુખ્ય રોડ રસ્તાની સાથો સાથ શેરીઓના નાના રસ્તાઓને પણ કપાતમાં ગણી લેવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી આ ટીપી સ્કીમ મંજુર થાય તે પહેલા મહાનગરપાલિકાને પરત મોકલી રોડ–રસ્તાનો ફરી વખત સર્વે કરી નિયમ મુજબના મુખ્યમાર્ગેા ૪૦ ટકા કપાતમાં લેવાની સૂચના આપવામાં આવી છે.
હાલ જાહેર આ બંને સર્વે નંબરના સમાવેશ માટે કહેવાયું છે પણ રોડ રસ્તા કપાત મામલે પણ કોઈ શંકાસ્પદ બાબત સામે આવી છે અને તેના અનુસંધાને તપાસ પણ ચાલી રહી છે. નિયમો પ્રમાણે ૪૦ ટકા કપાતમાં મુખ્ય રસ્તા જ બાદ મળતા હોય છે પણ ટી.પી. સ્કીમોમાં અંતરગં રસ્તાઓ પણ જમીન માલિકોને બાદ આપી દેવાયા હોવાનું ચર્ચાય રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech