સુપ્રીમ કોર્ટે સાંસદો અને ધારાસભ્યોના ડિજિટલ સર્વેલન્સની માંગ કરતી જાહેર હિતની અરજી પર નારાજગી વ્યકત કરી હતી. ચીફ જસ્ટિસ આફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે ગઈકાલે અરજી પર સુનાવણી કરતા ૫ લાખ પિયા સુધીનો દડં લગાવવાની ચેતવણી આપી હતી. જો કે, બાદમાં કોઈ પણ પ્રકારનો દડં લાધા વિના અરજી ફગાવી દેવામાં આવી હતી.
સાંસદો અને ધારાસભ્યોના ડિજિટલ મોનિટરિંગ પરની અરજી પર સુનાવણી કરતી વખતે, સીજેઆઇ ચંદ્રચુડ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે આપણે લોકો પર ચિપ્સ ન લગાવી શકીએ. આ કેવી પિટિશન છે, આપણે ડિજિટલી સર્વેલન્સ કેવી રીતે કરી શકીએ? ગોપનીયતા નામની પણ વસ્તુ છે. અમે તમને દડં ભરવા માટે કહીશું. આ તેઓનો પર્સનલ સમય છે.જોકે અરજી ફગાવી દેવામાં આવી હતી.
દડં લગાવવાની સીજેઆઈની ચેતવણી બાદ વકીલે કહ્યું કે આ પગારદાર પ્રતિનિધિઓ ગેરવર્તન શ કરે છે. જેના પર સીજેઆઈ ચંદ્રચુડે જવાબ આપ્યો કે દરેક સાંસદો અને ધારાસભ્યો એવા નથી હોતા. અમે અધિકારોનું ઉલ્લંઘન કરી શકતા નથી. જો આમ થશે તો લોકો કહેવા લાગશે કે અમને ન્યાયાધીશોની જર નથી અને અમે જાતે જ નિર્ણય કરીશું. જો કોઈ પાકીટ ચોરશે તો અમે તેને મારી નાખીશું.
કેસની સુનાવણી દરમિયાન સીજેઆઈ ચંદ્રચુડે વકીલને આગળ પૂછયું કે તમે જે દલીલ કરી રહ્યા છો તેની ગંભીરતા શું તમે સમજો છો? સાંસદો અને ધારાસભ્યોનું પણ અંગત જીવન હોય છે. આના પર વકીલે જવાબ આપ્યો કે જેઓ તેમની ગોપનીયતા વિશે ખૂબ ચિંતિત છે તેઓએ આવી નોકરીઓ માટે અરજી કરવી જોઈએ નહીં. બંધારણમાં કેટલાક અનુચ્છેદ એવા છે જે મૂળભૂત માળખાની વિદ્ધ છે. આ પછી સીજેઆઈએ કહ્યું કે અમે અરજી નોટિસ પર મૂકી છે. કોઈ દડં લાદતા નથી, પરંતુ અમે તેને નકારીએ છીએ. આ રીતે, સુપ્રીમ કોર્ટે સાંસદો અને ધારાસભ્યોની ડિજિટલી દેખરેખ કરવાની અરજીને ફગાવી દીધી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMચારધામ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માતગે માઠા સમાચાર, ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા મોકૂફ
July 06, 2024 11:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech