ફૂડ રેગ્યુલેટર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) હવે MDH અને એવરેસ્ટના મસાલાનું નિરીક્ષણ કરશે. FSSAIએ સ્પાઈસ બોર્ડ પાસેથી પણ માહિતી માંગી છે. આગળ જાણો કયા મસાલામાં આ કેમિકલ હોય છે અને કયા દેશોમાં તે પ્રતિબંધિત છે.
મળતી માહિતી મુજબ આ મસાલાઓમાં કેન્સર માટે જવાબદાર કેમિકલ ઈથિલિન ઓક્સાઈડનું પરીક્ષણ કરવામાં આવશે. સિંગાપોર અને હોંગકોંગમાં પણ MDH અને એવરેસ્ટ મસાલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇથિલિન ઓક્સાઈડની માત્રા વધુ હોવાને કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ મસાલામાં મળી આવ્યું પ્રમાણ
આ ખતરનાક મસાલા મદ્રાસ કરી પાઉડર, મિશ્ર મસાલા પાવડર અને MDH મસાલાના સંભાર મસાલા અને એવરેસ્ટ મસાલાના ફિશ કરી મસાલામાં મળી આવ્યા છે.
તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાનું ટાળો
એમડીએચ અને એવરેસ્ટ બંને દેશની પ્રખ્યાત મસાલા કંપનીઓ છે. દેશના કરોડો ઘરોમાં આ મસાલાનો ઉપયોગ થાય છે. જો તમે આ મસાલા ખરીદ્યા હોય તો વધુ સારું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાનું ટાળો.
FSSAIના સૂત્રોએ જણાવ્યું કે ભારતમાં વેચાતી તમામ મોટી મસાલા બ્રાન્ડના ઉત્પાદનોનું પરીક્ષણ કરવામાં આવશે. મસાલામાં ખતરનાક રાસાયણિક તત્ત્વોની હાજરી શોધવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક બ્રાન્ડની 4-5 પ્રોડક્ટ્સનું પરીક્ષણ કરવામાં આવશે. ભારતમાં ખાદ્ય ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઇડ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. જો કોઈ પ્રોડક્ટમાં ઈથિલિન ઓક્સાઈડ જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. નિયમિત પરીક્ષણમાં ભારતમાં કોઈપણ ઉત્પાદનમાં ઇથિલિન ઓક્સાઇડ મળ્યું ન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech