પોરબંદરમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયત સંચાલિત સ્કૂલની બહાર જ ગંદકી ખદબદતી હતી અને ત્યાંથી જ નગરપાલિકાના તંત્રએ સફાઇરેલી યોજી હતી ત્યારે તે અંગેના અહેવાલો બાદ નગરપાલિકાના તંત્રએ ત્યાં સફાઇ કરાવી હતી અને ગંદકી કરનારા ધંધાર્થીઓ સહિત એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને પણ નોટીસ આપી છે.
વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પોરબંદરમાં નગરપાલિકા તથા જિલ્લા પંચાયત સંચાલિત એમ.ઇ.એમ. સ્કૂલ અને મોહનદાસ કરમચંદ ગાંધી સ્કૂલની બહાર અસહ્ય ગંદકી ખદબદતી હતી અને એ જ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી યોજાતા તંત્ર પરિપત્ર મુજબ કરવા ખાતર કાર્યક્રમો કરે તેના બદલે વ્યવસ્થિત સફાઇ કરાવે તેવી માંગ ઉઠવા પામી હતી ત્યારે પોરબંદર નગરપાલિકાની સેનિટેશન કમીટીના ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટીએ જણાવ્યુ હતુ કે ત્યાં કચરાપેટી મુકવામાં આવતી હતી તેમ છતા અહીં કેટલાક લોકોને ધંધાર્થીઓ કચરાપેટીમાં કચરો નાખવાના બદલે બહાર ગંદકી ફેલાવતા હતા
તેથી કચરાપેટી દૂર કરી હતી તેમ છતાં ત્યાં બહાર કરચો ફેંકવામાં આવતો હોવાની જે ફરિયાદો ઉઠી છે તે અનુસંધાને સફાઇ કર્મચારીઓને મોકલીને વ્યવસ્થિત સફાઇ કરાવી છે તેની સાથોસાથ સામે વસુંધરા કોમ્પલેક્ષમાં રહેતા કેટલાક લોકો કે જે ગંદકી ફેલાવી રહ્યા છે અને જાહેરમાં કચરો ફેંકી રહ્યા છે તેમને પણ નોટીસ આપવામાં આવી છે કારણકે ડોર ટુ ડોર કચરો લેવા માટે પાલિકાનું વાહન જાય છે છતાં પણ બહાર ગંદકી કરવામાં આવી રહી છે તે અયોગ્ય છે. લોકોએ પણ સફાઇ અભિયાનમાં નગરપાલિકાને સહકાર આપવો પડશે.
તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે અમુક ધંધાર્થીઓ દ્વારા પણ એઠવાડ સહિતની ગંદકી શાળા બહાર ફેંકવામાં આવતી હતી તેથી તેઓ સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે શહેરને સૌના સહિયારા પ્રયાસોથી સ્વચ્છ બનાવવા માટે લોકભાગીદારીથી કામ થઇ રહ્યુ છે અને લોકોએ પણ ગાંધીજીના સ્વચ્છતાના સિધ્ધાંતને આત્મસાત કરીને નિયત જગ્યાએ કચરો ફેંકવો જોઇએ તેવી અપીલ કરી હતી.
તેમણે જણાવ્યુ હતુ કે વહેલી સવારથી જ સફાઇ કર્મચારીઓ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવવા માટે પહોંચી જાય છે ત્યારે તેમને વધુ મુશ્કેલી પડે નહી તે માટે લોકોમાં પણ હવે જાગૃતિ આવવી જરી બની છે.
વસુંધરા એપાર્ટમેન્ટને પાઠવાઇ નોટીસ
પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા કમલાબાગ સામે વસુંધરા એપાર્ટમેન્ટને નોટીસ પાઠવી જણાવાયુ છે કે આપના એપાર્ટમેન્ટના અમુક લોકો દ્વારા પી.જી.વી.સી.એલ.ના સબસ્ટેશન પાસે રાત્રીના સમયે કચરો ફેંકવામાં આવે છે જ્યાં રોજેરોજ સાફસફાઇ કરાવવી શકય નથી માટે કડક સુચના આપવામાં આવે છે કે ડોર ટુ ડોર કચરાની ગાડીમાં જ કચરો નાખવો અન્યથા એપાર્ટમેન્ટ ઉપર નિયમ અનુસાર દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMધારીના આશ્રમમાં માથાભારે શખ્સોનો આતંક, સાધુ સંતોને ધમકાવ્યા
September 28, 2024 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech