આટકોટ પંથકમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

  • July 26, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ પંથકમાં બે દિવસ પહેલા મેધરાજાએ તાંડવ નૃત્ય કર્યું હોય તેમ એકધારો ધોધમાર વરસાદ ચાલું થયો હતો ત્રણ કલાકમાં નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ કબ્રસ્તાનની દીવાલ ધરાશયી થઇ હતી તેમજ આટકોટ ભાદર નદી નો કોઝવે ધોવાયા લોકો ને ચાલવું મુશ્કેલ બન્યું હતું અડધો કોઝવે ધોવાણ થયો હતો કૈલાસનગર વિસ્તારમાં રહેતા લોકોને અહી અવર જવર કરતા હોયછે પણ કોઝવે તેમજ ચાલવાનો રસ્તો ધોવાણ થયું હતું તેમજ ગુંદાળા રોડ પાસે મકાન ધરાશયી થયું હતું  નાના અને કાચાં મકાન ધરાશયી થયાં છે ખાસ કરીને લોકોને ચાલવાની તકલીફ વાળો રસ્તો જે કોઝવે નો છે તે પહેલાં રીપેરીંગ કરવામાં આવે અને લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે હજારો લોકો ની અવર હોય જેને લઇ મુશ્કેલ બન્યું છે ગામ પંચાયત દ્વારા વહેલી તકે આ રસ્તો રીપેરીંગ કરવામાં આવે તેવી લોકો એ માંગણી કરી છે લોકો ને પુલ ચાલી ને જાય તો અકસ્માત નો ભય રહે છે તેમને નદી માથી ટુકો રસ્તો હોય છે નદી માં પુર આવતા આ કોઝવે નું ધોવાણ થયું છે તેમજ ચાલવાનો રસ્તો ધોવાણ થયું છે. ખેડુતો ને પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે ખેતરો નું ધોવાણ થયું છે તેમજ ખેતરમાં હજું પાણી ભરાયાં છે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application