ભારત સરકારની પી.એમ.સુર્ય ઘર: મફત વીજળી યોજનાથી શહેરીજનોને માહિતગાર કરવા માટે રાજકોટ મહાપાલિકા અને પીજીવીસીએલ દ્રારા વોર્ડ નં.૧થી વોર્ડ વાઈઝ કેમ્પનો શુભારભં કરવામાં આવ્યો હતો. દરમિયાન વોર્ડ નં.૧માં આયોજિત કેમ્પમાં અરજદાર નાગરિકો કરતા સરકારી સ્ટાફની સંખ્યા વધુ જોવા મળી હતી. કેમ્પમાં અરજદારો માટે મુકાયેલી ખુરશીઓમાંથી મોટા ભાગની ખુરશીઓ ખાલી પડી રહી હતી.
સૌર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પી.એમ.– સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી અને આવકનો ક્રોત ઉભો કરી શકાય છે. દર મહિને ૩૦૦ યુનિટ મફત વીજળી દ્રારા એક કરોડ ઘરને સુવિધા પૂરી પાડતી આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકાય છે. કેન્દ્ર સરકાર આ યોજનામાં મોટી રકમની સબસિડી આપી રહી છે જેનો લાભ લઈ, દેશવાસી પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને મફત વીજળી મેળવવાની અને વધારાની વીજળી વેચીને પૈસા કમાવવાની સુવિધા પૂરી પાડે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧.૩ કરોડથી વધુ લોકોએ પી.એમ. સૂર્ય ઘર યોજના માટે અરજી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના માટે નોંધણી કરાવનારા એક કરોડથી વધારે કુટુંબો પર આનંદની લાગણી વ્યકત કરી છે. આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવીને ઘર માટે જરી વીજળી મેળવવાની અને વધારાની વીજળીનું વેચાણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ યોજના દ્રારા મફત વીજળી તેમજ આવક એમ બંને મેળવી શકાય છે.
શહેરીજનો આ યોજનાનો વધુમાં વધુ લાભ મેળવે અને આ યોજનાથી માહિતગાર થાય તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પીજીવીસીએલના સંકલનથી પી.એમ.–સૂર્ય ઘર: મફત વીજળી યોજનાના વોર્ડવાઇઝ કેમ્પનું તા.૩–૧૨–૨૦૨૪ થી તા.૨૪–૧૨–૨૦૨૪ સુધી સવારે ૧૦ થી ૧ દરમ્યાન દરેક વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે કેમ્પનું આયોજન કરેલ છે. જે અંતર્ગત આજે તા.૩–૧૨–૨૦૨૪ના રોજ વોર્ડ નં.૧માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૧–અ, ફાયર સ્ટેશન,રામાપીર ચોકડી, ૧૫૦ ફટ રિંગ રોડ, રાજકોટ ખાતેથી કેમ્પનો શુભારભં કરવામાં આવ્યો હતો.
આજના કેમ્પમાં કોર્પેારેટર અલ્પેશભાઈ મોરજરીયા, રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જીનિયર બી.ડી.જીવાણી, મેનેજર કૌશિક ઉનાવા, વોર્ડ ઓફિસર કિંજલબેન ચોલેરા, પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર બી.એમ.પટેલ, નાયબ ઇજનેર બી.આર. ગોસાઇ, આર.ડી.લશ્કરી, આર.એસ. જાડેજા, વોર્ડ પ્રભારી કાથડભાઇ ડાંગર, વોર્ડ પ્રમુખ કાનાભાઈ સતવારા, વોર્ડ મહામંત્રી નાગજીભાઈ વ, ગૌરવભાઇ મહેતા, પૂર્વ વોર્ડ પ્રમુખ રામભાઈ આહીર અને રાજકોટ મહાનગરપાલિકા અને પીજીવીસીએલના અધિકારી–કર્મચારીઓ તેમજ અંદાજિત ૧૬૦ નાગરિકો હાજર રહ્યા હતા. આજના કેમ્પમાં દ્રારા પીજીવીસીએલના ટેકનીકલ અધિકારીઓ દ્રારા ઉપસ્થિત નાગરિકોને પ્રધાનમંત્રી સુર્યઘર: મફત વીજળી યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech