રાજકોટમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ૮૦ ફુટ રોડ પરના વિસ્તારમાં રહેતા દંપતીની ૧૫ વર્ષની દીકરીને રાજકોટમાં રહેતો ઇલિયાસ નામનો વિધર્મી શખસ બે મહિના પૂર્વે ભગાડી ગયો હતો. બાદમાં પોલીસમાં અરજી કરતા દીકરી પરત મળી ગઈ હતી. જેથી તે સમયે ફરિયાદ કરી ન હતી. ત્યારબાદ આ દીકરીને તેના માતા–પિતા માણાવદર અંગત સગાના ઘરે મોકલી દીધી હોય અહીંથી ગત તારીખ ૯૧૧ ના ઇલિયાસ સગીરાને ભગાડી ગયો હતો. જેથી આ અંગે તેણીના માતાએ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીને લઈ ચિંતાતુર બનેલા દંપતિએ પોતાની દીકરીને શોધી કાઢવા અને આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી છે.સાથોસાથ હિન્દુ સંગઠનો પાસે પણ મદદની ગુહાર લગાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં ૮૦ ફટ રોડ પર રહેતા ૩૪ વર્ષીય પરિણીતાએ માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પતિ ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે
આજથી લાચાર માતા–પિતાએ દીકરીને શોધવામા મદદરૂપ થવા હિન્દુ સંગઠનોને વિનંતી કરી
આ ઘટનાને લઇ દીકરીના માતા પિતાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, આરોપી ઇલિયાસ સોરઠીયા વાડી પાસે પાનની દુકાને ઉભો રહેતો હોય દરમિયાન તેમની દીકરી અહીંથી પસાર થતા બંને વચ્ચે પરિચય થયો હોઈ શકે. ત્યારબાદ આરોપી તેને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે. દીકરી સાથે કોઈ અઘટીત ઘટના ન બને તે માટે પોલીસ તાકીદે આરોપીને ઝડપી લે અને દીકરીને શોધી કાઢે. તેમજ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. સાથોસાથ તેમણે હિંદુ સંગઠનો પણ તેમની દીકરીનો પતો લગાવવામાં મદદ કરે તેવી વિનંતી કરી હતી.વિધર્મી દીકરીને સોમનાથમાં એકલો મૂકી જતો રહ્યોતો
દિકરીની માતાએ જણાવ્યું હતું કે, બે માસ પુર્વે દિકરીને ઇલિયાસ ભગાડી ગયા બાદ આ બાબતે થોરાળા પોલીસ મથકમાં અરજી કરતા પોલીસ પોતાને પકડશે તેવો ડર લાગતા ઇલિયાસ દિકરીને સોમનાથમાં એકલો મૂકી નાસી ગયો હતો
બે મહિના પૂર્વે તેમની ૧૫ વર્ષની દીકરીને રાજકોટમાં રહેતો ઇલિયાસ નામનો શખસ ભગાડી ગયો હતો. બીજા દિવસે સાંજે ફરિયાદીને દીકરીનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે મારે ઇલિયાસ સાથે પ્રેમ સંબધં છે અને હુ તેની સાથે ફરવા ગઈ છું જેથી તેની માતાએ તેને ઇલિયાસ સાથે પ્રેમ સંબધં નહીં રાખવા સમજાવી હતી. બાદમાં આ બાબતે અરજી કરતા દીકરી પરત આવી ગઈ હતી જેથી જે તે સમયે ફરિયાદ કરી ન હતી.
બાદમાં માતા–પિતાએ દીકરીને મુસ્લિમ યુવક ઇલીયાસ સાથે પ્રેમ સંબધં હોય તે તોડી નાખવા અને હિન્દુ યુવક સાથે લગ્ન કરવા સમજાવી હતી અને દીકરી સમજી પણ ગઈ હતી પરંતુ ઇલ્યાસ રાજકોટમાં જ રહેતો હોય જેથી દીકરીને હેરાન ન કરે તેવું વિચારી માતા–પિતા દીકરીને માણાવદરમાં રહેતા અંગત સગાના ઘરે મૂકી આવ્યા હતા.
દરમિયાન ગત તારીખ ૯-૧૧-૨૦૨૪ ના બપોરના સમયે ફરિયાદીને તેના સગાનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, તમારી દીકરી બપોરના બારેક વાગ્યે બેગ તથા કપડાં લઈ ઘરેથી કયાંક જતી રહી છે બાદમાં તેને ફોન કરતા તેનો ફોન પણ બધં આવતો હતો. જેથી રાજકોટમાં રહેતો ઇલ્યાસ તેને ભગાડી ગયો હોવાની શંકા સાથે શોધખોળ શરૂ કરી હતી. પરંતુ દીકરીનો કોઈ પતો ન લાગતાં અંતે દીકરીની માતાએ આ બાબતે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં સતત ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ
April 08, 2025 02:12 PMજામનગરના વિજરખી પાસે યુવકની હત્યા કરનાર પત્ની અને પ્રેમીની અટકાયત
April 08, 2025 02:10 PMજામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી
April 08, 2025 01:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech