બાંગ્લાદેશની હાલત જોઈ લો, સ્વતંત્રતાને હળવાશથી ન લો: સીજેઆઈ ચંદ્રચુડ

  • August 16, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમના ચીફ જસ્ટીસ ચંદ્રચુડએ સ્વતંત્રતા દિવસ પર બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યેા અને બંધારણીય મૂલ્યોના મહત્વ પર ભાર મૂકયો. તેમણે બાંગ્લાદેશના હિંદુ લઘુમતીઓ પરના હત્પમલા અંગે ચિંતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે આઝાદીને ગ્રાન્ટેડ લેવી ખૂબ જ સરળ છે, પરંતુ ભૂતકાળની ઘટનાઓને સમજવી જરી છે.
તેમણે કહ્યું કે પડોશી દેશ બાંગ્લાદેશમાં તાજેતરની ઘટનાઓ આ અધિકારોના મૂલ્યની યાદ અપાવે છે.સુપ્રીમ કોર્ટ સંકુલમાં રાષ્ટ્ર્રધ્વજ ફરકાવ્યા બાદ ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે સ્વતંત્રતા દિવસ આપણને બંધારણના તમામ મૂલ્યોને સાકાર કરવા માટે દેશના લોકોની એકબીજા પ્રત્યે અને રાષ્ટ્ર્ર પ્રત્યેની ફરજોની યાદ અપાવે છે. આજે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે આપણા માટે કેટલી અમૂલ્ય સ્વતંત્રતા છે તેની સ્પષ્ટ્ર યાદ અપાવે છે.
બાંગ્લાદેશનો ઉલ્લેખ કરતાં ચીફ જસ્ટિસે કહ્યું કે આઝાદીને હળવાશથી લેવી ખૂબ જ સરળ છે, પરંતુ ભૂતકાળની ઘટનાઓને સમજવી જરી છે, જેથી આપણે યાદ રાખીએ કે આ બાબતો કેટલી મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં કહ્યું કે આજે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે સ્પષ્ટ્ર યાદ અપાવે છે કે આઝાદી આપણા માટે કેટલી કિંમતી છે.
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે ઘણા વકીલોએ પોતાનો કાનૂની વ્યવસાય છોડીને રાષ્ટ્ર્રના કામમાં પોતાને સમર્પિત કરી દીધા છે. તેમણે કહ્યું કે સ્વતંત્રતા દિવસ એ એક બીજા અને રાષ્ટ્ર્ર પ્રત્યેની આપણી ફરજોને યાદ કરાવવાનો દિવસ છે.ધ્વજવંદન સમયે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ હાજર હતા. તેમણે કહ્યું કે બંધારણ સર્વેાચ્ચ છે. મંત્રીએ કહ્યું કે ચીફ જસ્ટિસે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે બંધારણ સર્વેાચ્ચ છે. જો તેને ધારાસભા, કારોબારી અને ન્યાયતત્રં દ્રારા આત્મસાત કરવામાં આવે તો ભારત એક વિકસિત રાષ્ટ્ર્ર બનશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application