હાઇપર ટેન્શનની બીમારી માટે એકલતા સૌથી મોટું પરિબળ

  • May 17, 2024 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે ૧૭મે વિશ્વ હાયપરટેન્શન દિવસ છે. હજુ સ્થિતિ એ છે કે હાઈપરટેન્શનની સમસ્યા જે પહેલા સામાન્ય રીતે ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળતી હતી તે હવે ૨૫–૩૦ વર્ષની વયના યુવાનોમાં જોવા મળે છે. યુવાનોમાં આ રોગ વધવાનું મુખ્ય કારણ અયોગ્ય જીવનશૈલી છે.
હાયપરટેન્શન માટે અનેક કારણો જવાબદાર છે જેમાં શારીરિક સાથે ખાસ માનસિક, સામાજિક, વ્યકિતગત કારણો વધુ જવાબદાર છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ જોગસને ૬૨૧ લોકો પર સર્વે કર્યેા જેમાં નીચે મુજબ માહિતી મળી.

– ઘરમાં થતા ઝઘડાઓ હાયપરટેન્શન થવાનું મુખ્ય કારણ છે એવું ૭૦.૫૬% લોકોએ સ્વીકાયુ.

– સતત માનસિક તણાવ અનુભવતા લોકો હાયપરટેન્શન વધુ ધરાવે છે તેવું ૮૯.૯૦% લોકોએ સ્વીકાયુ.

– અયોગ્ય જીવનશૈલી હાયપરટેન્શનનું કારણ બને છે તેવું ૯૯.૯૯% લોકોએ સ્વીકાયુ.

– બીમારીની ચિંતા અને સામાજિક તણાવ હાયપરટેન્શન નોતરે છે તેવું ૮૦.૭૮% લોકોએ સ્વીકાયુ.

– એકલતામાં થતો વધારો હાયપરટેન્શનમાં પણ વધારો કરે છે તેવું ૧૦૦% લોકોએ સ્વીકાયુ.

– તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા હાયપરટેન્શનમાં વધારો કરે છે તેવું ૮૧.૨૧% લોકોએ જણાવ્યું.

– સોશિયલ મીડિયાનો અતિરેક હાયપરટેન્શન નોતરે છે એવું ૮૯.૯૦% લોકોએ જણાવ્યું.

આ રોગથી પીડિત યુવાનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી છે. યુવાનો કોઈપણ પરિસ્થિતિમાં ખુશ રહેવા માંગતા નથી, જેના કારણે તણાવ વધે છે. આ ઉપરાંત, અનિયમિત આહાર, અવ્યવસ્થિત દિનચર્યા, દા અને સિગારેટનું સેવન વગેરે આ જોખમને વધારે છે.

હાયપરટેન્શન શું છે?

હાઈપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશર (હાઈ બ્લડ પ્રેશર). આ એક ખતરનાક રોગ છે. વાસ્તવમાં, આ એક એવી સ્થિતિ છે જેમાં ધમનીઓમાં બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી જાય છે અને તેના કારણે ધમનીઓમાં લોહીના પ્રવાહને જાળવી રાખવા માટે હૃદયને સામાન્ય કરતાં વધુ કામ કરવાની જરૂર છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાર્ટ એટેકનું મુખ્ય કારણ હાઈપરટેન્શન છે. આ સિવાય તે મગજ, કિડની અને અન્ય રોગોનું જોખમ પણ વધારી શકે છે

આ રીતે ડિપ્રેશન વધી રહ્યું છે
લોકો તેમના વ્યસ્ત જીવનમાં આરામ નથી અનુભવતા. જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તણાવને કારણે લોકોમાં અનેક બીમારીઓ થઈ રહી છે અને તેના કારણે તેઓ પરેશાન થઈ ગયા છે.

લક્ષણો
– માથાનો દુખાવો
– ચક્કર
– થાક અને સુસ્તી અનુભવવી
– હૃદયના ધબકારા વધવા
– છાતીનો દુખાવો
– ઝડપી શ્વાસ અથવા શ્વાસ લેવામાં તકલીફ
– ઝાંખી દ્રષ્ટ્રિ

કારણો
– તણાવ
– કસરત ન કરવી
– અનિયંત્રિત આહાર.
– તેલયુકત ખોરાકનો વધુ પડતો વપરાશ.
– ભોજનમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ.
– સ્થૂળતા
– ઉંઘનો અભાવ

૨સાયલન્ટ કિલરથી તમારી જાતને કેવી રીતે બચાવવી
– નિયમિત કસરત કરો.
– દિનચર્યાને વ્યવસ્થિત બનાવો.
– પૌષ્ટ્રિક ખોરાક લો.
– ખુશ રહો, ચિંતા અને તણાવથી દૂર રહો.
– ફળો, શાકભાજી અને અંકુરિત અનાજ લો.
– પૂરતી ઐંઘ લો.
– દા અને ધૂમ્રપાન છોડી દો
– હેલ્થ ચેકઅપ કરાવો. ૩૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે તપાસ કરાવો.
– બીપીની સમસ્યા હોય તો બીપીની સાથે સુગર, કિડની વગેરેની પણ તપાસ કરાવો.
– હાયપરટેન્શનથી બચવા માટે જીવનશૈલીમાં સુધારો કરો.
– ભોજનમાં ઓછામાં ઓછું મીઠું લેવું.
– તણાવથી મુકત રહેવા માટે યોગની મદદ લો.
– વધુ પડતી ચા કે કોફી ન લો, દરરોજ ૨ થી ૩ લીટર પાણી પીવો.
– તમાં બીપી અને થાઈરોઈડ ચેક કરાવતા રહો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application