અમરેલીના હનુમાનપરામાં હલણના પ્રશ્ને સ્થાનિકોનો ઉગ્ર રોષ: ચક્કાજામ કરાયું

  • September 04, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીના જીઆઇડીસી ને જોડતા વાહનો અગાઉ રેલવે માલિકીની જમીનમાંથી પસાર થતા હતા ત્યારે રેલ્વે દ્રારા હાલ પોતાની માલિકીની જમીન હોવાથી અને કામગીરી શ કરવામાં આવતા તે રસ્તો બધં થઈ જતા ચાલી રહેલ વિવાદમાં ગઈ રાત્રે ફરી એક વખત હલાણ પ્રશ્ન રોષેભરાયેલા વેપારીઓ અને લોકો દ્રારા ગઈ રાત્રે ચક્કા જામ કરવામાં આવ્યો હતો. પરિણામે અમરેલીથી ભાવનગર તરફ જતો રોડ બધં કરવામાં આવ્યો હતો અને લોકો રોડ ઉપર બેસી ગયા હતા સાથે શ્રીરામ જયરામની ધૂન રોડ ઉપર શ કરવામાં આવેલ હતી. અમરેલી જીઆઇડીસી તરફ જવા માટે લાઠી રોડ રેલવે ફાટક પાસે રેલવેની માલિકીની જમીનમાંથી વાહનો પસાર થઈને જીઆઇડીસી તરફ જતા હતા અમરેલીમાં બ્રોડગેજની કામગીરી મંજૂર કરાયા બાદ રેલવે દ્રારા પોતાની માલિકીની જમીનમાં બાંધકામ શ કરી દેવામાં આવ્યું છે જેના કારણે જીઆઇડીસી તરફ જતા વાહનો હનુમાન પરા વાળા રોડ તરફથી તેમજ બાયપાસ તરફથી આવતા હતા ત્યાં સ્થાનિક લોકો દ્રારા વિરોધ કરવામાં આવતો હોવાના કારણે ઘણા સમયથી આ સમસ્યાનો કોકડું ગૂંચવાયેલું છે રોષે ભરાયેલા આ વિસ્તારના વેપારીઓ તથા સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં ગઈ રાત્રે લાઠી રોડ રેલવે ફાટક પાસે એકઠા થયા હતા અને રાત્રિના સમયે સૂત્રોચાર સાથે ઉગ્ર રીતે વિરોધ નોંધવામાં આવ્યો હતો લાઠી રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. આ કારણે અડધા કલાક કરતાં પણ વધારે સમય સુધી અમરેલી થી અમદાવાદને જોડતા મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પથઈ જતા રોડની બંને તરફ યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા...... આ ઘટનાના પગલે જાણ થતાં જ અમરેલીના પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા અને વેપારીઓને સમજાવીને રોડ ખુલ્લ ો કરવા માટે વાટાઘાટો હાથ ધરવામાં આવી હતી શહેરભરની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને રોડ ખુલ્લ ો કરવા માટે પ્રયત્ન શ કરવામાં આવ્યા હતા. વેપારીઓ તથા સ્થાનિક લોકો દ્રારા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માગણી કરવામાં આવી રહી છે અગાઉ પણ રજૂઆત કરાયા બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે લોકો દ્રારા ઉગ્ર રીતે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.. જીઆઇડીસીના હલનનો છેલ્લ ા ત્રણ મહિનાથી ઉભો થયેલો આ ગંભીર પ્રશ્ન વિકરાળ બને તેવી દેસત સેવાઈ રહી છે લોકો દ્રારા ફેન્સીંગ તોડી નખાતા જમીન માલિક દ્રારા ખાડો ખોદી નખાયો હતો અત્રે એ ઉલ્લ ેખનીય છે કે અમરેલીમાં આવેલી જીઆઇડીસી મૃતપાઈહાલતમાં છે ઉધોગ માટે લાલ જાજમ પાછળથી સરકાર હાલ જે ઉધોગ જીઆઇડીસીમાં ચાલુ છે તેને બચાવવા માટે આગળ આવે તે જરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application