અમરેલીમાં સિંહનો હુમલો, 7 વર્ષના બાળકનું મોત, પાણીયા ગામમાં બની ગોઝારી ઘટના

  • February 18, 2025 11:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીના પાણીયા ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. 7 વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


બગસરા તાલુકાના પાણીયા ગામે રાહુલભાઈ નારુભાઈ બારૈયા નામનો 7 વર્ષનો બાળક આજે સવારે 8:30 કલાકે નદીમાં પાણી ભરવા જઈ રહ્યો હતો, ત્યારે સિંહે તેના પર હુમલો કર્યો હતો. સિંહે બાળકને ગંભીર રીતે ઘાયલ કર્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.


બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાથી પરિવારમાં ભારે દુઃખ અને આઘાત લાગ્યો છે.


સ્થાનિકોમાં ભયનો માહોલ

આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. લોકો હવે એકલા બહાર નીકળતા ડરી રહ્યા છે. સિંહના હુમલાની ઘટનાઓએ વન્યજીવો અને માનવ વચ્ચેના સંઘર્ષને ફરી એકવાર પ્રકાશમાં લાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application