જન્માષ્ટમી તહેવાર પૂર્વે શહેરના ટ્રાફિક સર્કલ્સ ઉપર કરાશે લાઇટિંગ ડેકોરેશન

  • August 16, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જન્માષ્ટ્રમીના તહેવાર નિમિત્તે શહેરના તમામ સર્કલને લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવશે તેમજ કિર્તીદાન ગઢવીનો લોક ડાયરો અને ધીભાઈ સરવૈયા દ્રારા હસાયરો રજૂ કરાશે.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટ્રમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં હર હર મહાદેવ શિવ આરાધના તેમજ લોકડાયરો યોજવામાં આવશે. આ લોક ડાયરામાં લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને લોક હાસ્ય કલાકાર ધીભાઇ સરવૈયા દ્રારા આ કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવશે. આ કાર્યક્રમની રોનક વધારવા માટે શહેરના તમામ મુખ્ય સર્કલને લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શહેરીજનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયું છે. લોકડાયરાનું સ્થળ હવે પછી જાહેર કરાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application