કાલાવડમાં વાડીમાંથી કેબલની ઉઠાંતરી

  • May 22, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મકાનના તાળા તોડી સામાન વેરવિખેર કરતા તસ્કરો

કાલાવડના વાડી વિસ્તારમાં ખેતરમાંથી ૪૮૦ ફુટ કેબલ ચોરી કરી ગયાની અને મકાનમાં માલસામાન વેરવિખેર કર્યાની ફરીયાદ દાખલ થઇ છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
કાલાવડના ગોવિંદપરા, કુવાશેરીમાં રહેતા ખેડુત પરસોતમ નાથાભાઇ ફળદુ (ઉ.વ.૭૫)એ ટાઉન પોલીસમાં અજાણ્યા ચોર ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી પરસોતમભાઇ તથા તેના પાડોશી જયેશભાઇ ફળદુ તથા અરવિંદભાઇ ફળદુની વાડીમાંથી ગત તા. ૧૯ના સમય દરમ્યાન કોઇ અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા અને ૪૮૦ ફુટ જેટલો કેબલ જેની અંદાજે કિ. ૬૦૦૦ હોય જે ચોરી કરી ગયા હતા અને વાડીના મકાનના તાળા તોડી અંદર પ્રવેશી માલસામાન વેરવિખેર કરી નાખ્યો હતો.
ફરીયાદના આધારે પોલીસટુકડી દ્વારા તપાસ ચલાવવામાં આવી છે, શહેર જીલ્લામાં ગરમીના દિવસોમાં એક પછી એક ચોરીના બનાવ સામે આવી રહયા છે, જો કે સીટી-ની બે ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application