જાંબુડા ગામમાં સિમેન્ટની ૪૦ થેલીઓની ઉઠાંતરી

  • August 03, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્લોટમાં છાપરુ બનાવવાના કામ પરથી અજાણ્યા કળા કરી ગયા

જામનગર નજીક જાંબુડા ગામમાં વંડો વાળેલ પ્લોટમાં છાપરુ બનાવવાનું કામ ચાલુ હોય ત્યાંથી કોઇ અજાણ્યા શખ્સો ત્રણ દિવસ પહેલા સિમેન્ટની ૪૦ થેલીઓની ઉઠાંતરી કરી ગયા છે, આ મામલે ગઇકાલે ફરીયાદ દાખલ કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરના રડાર રોડ મુરલીધર-૨ શેરી નં. ૮ ખાતે રહેતા વેપારી રમેશ લાખાભાઇ વેકરીયા (ઉ.વ.૫૪) ની જામનગર નજીક જાંબુડા રે.સ.નં. ૨૭૨ પૈકી ૧ની જમીન આવેલી હોય જેમાં હાલ વંડો વાળવામાં આવ્યો છે અને ત્યાં પતરાવાળુ છાપરુ બનાવવાનું કામ ચાલુ હોય દરમ્યાન ગત તા. ૩૧ના કોઇપણ સમયગાળામાં અજાણ્યા શખ્સો રુા. ૧૪૬૦૦ની કિંમતની સિમેન્ટની ૪૦ થેલીઓ ચોરી કરીને લઇ ગયા છે.
આ અંગે રમેશભાઇ દ્વારા ગઇકાલે પંચ-એમાં સિમેન્ટની થેલીઓ ચોરી કરી જનારા અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application