જામનગર જિલ્લાના ૫૬ જેટલા ગામોમાં રક્તપિત્ત રોગ અંગે શોધ અભિયાન શરૂ કરાયું
આગામી તા.૨૧ ડિસેમ્બર સુધી આરોગ્ય વિભાગની ૧૪૨ જેટલી ટીમો દ્વારા એક્ટિવ કેસ સર્વેલન્સની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે
જામનગર જીલ્લાના ૫૬ જેટલા ગામોમાં રક્તપિત્તના દર્દી શોધવા તેમજ નવા કેસ અટકાવવા જામનગર આરોગ્ય વિભાગ તેમજ આશા કાર્યકર બહેનોની ૧૪૨ જેટલી ટીમ દ્વારા એક્ટીવ કેસ સર્વેલન્સની ખાસ ઝુંબેશ ૧૨ ડિસેમ્બરથી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન ૨૧ ડિસેમ્બર સુધી ચાલશે. તેમજ રકતપિત્ત વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે.
ઘણા સમય સુધી રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો, પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. રકતપિત્ત ( માઇક્રોબેક્ટેરીયમ લેપ્રસી ) નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈ પણ ઉંમરે સ્ત્રી અથવા પુરુષ કોઈ પણને થઇ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફત ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુ ઔષધીય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ અટકાવી શકાય છે. શરીરના કોઇ પણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું પડવુ, જ્ઞાનતંતુઓનું જાડા થવું અને સ્પર્શ કરવાથી દુખાવો ન થવો આ બધા રક્તપિત્ત રોગના લક્ષણો છે. આ રોગના કારણે સામાન્ય રીતે પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે.
નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની એમ.ડી.ટી. (Multi drug treatment) બહુ ઔષધીય સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે ગુજરાતમાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech