સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ બાદ ભાજપે તેમના પર પ્રચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ અને પીએમ મોદીના ભાષણ પછી એક ભાષણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિના પ્રથમ ભાષણની ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ પણ પોતાના ભાષણમાં સુધા મૂર્તિએ ઉઠાવેલા મુદ્દાઓની પ્રશંસા કરી છે. સાથે જ સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે હવે આવા જનપ્રતિનિધિઓની જરૂર છે.
સાંસદ મૂર્તિ કયા મુદ્દા ઉઠાવીને ચર્ચામાં આવ્યા?
સુધા મૂર્તિએ સંસદમાં મહિલાઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવા માટે રસી અને પ્રવાસન સંબંધિત મુદ્દા ઉઠાવ્યા હતા.
સુધા મૂર્તિના ભાષણની ક્લિપ્સ પોસ્ટ કરીને, સોશિયલ મીડિયા પર યુઝર્સે અન્ય સાંસદોને તેમની પાસેથી ભાષણ આપવાની કળા શીખવા કહ્યું છે. યુઝર્સ કહી રહ્યા છે કે સંસદમાં કેવી રીતે બોલવું અને કયા મુદ્દા ઉઠાવવા જોઈએ તે સુધાજી પાસેથી શીખવું જોઈએ.
દરેક વ્યક્તિએ સુધા મૂર્તિજીનું સંસદમાં પ્રથમ ભાષણ ચોક્કસપણે સાંભળવું જોઈએ.
સાંસદે આ બે મુદ્દા ઉઠાવ્યા
રાષ્ટ્રપતિના અભિભાષણ પછી આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સુધા મૂર્તિએ કહ્યું કે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે અને જો આપણે તેનાથી બચવા માંગતા હોય તો આપણે છોકરીઓને બાળપણમાં જ રસી આપવી પડશે.
તેમણે કહ્યું કે હવે મહિલાઓના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. મૂર્તિએ કહ્યું કે મારા પિતા કહેતા હતા કે મહિલાઓ હંમેશા પરિવારનું કેન્દ્ર હોય છે. સ્ત્રી મરી જાય તો પતિને બીજી પત્ની મળે છે પણ બાળકોને બીજી માતા મળતી નથી.
સુધાએ વધુમાં કહ્યું કે જ્યારે કોવિડ સમયગાળા દરમિયાન આટલું મોટું રસીકરણ અભિયાન ચલાવી શકાય છે તો પછી આ કેમ નહીં. આ સાથે સુધાએ પર્યટનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં ઘણી એવી હેરિટેજ છે જેનો પ્રચાર થવો જોઈએ જેનાથી પ્રવાસનને વેગ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMચારધામ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માતગે માઠા સમાચાર, ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા મોકૂફ
July 06, 2024 11:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech