સરકાર દ્રારા એસ જીએસટીમાં એમનેસટી યોજના જાહેર કરવામાં આવી છે. જૂનાગઢ ડિવિઝન દ્રારા ૧૫૦૦થી વધુ વેપારીઓને જુના લેણા પેટે નોટિસ ફટકારવામાં આવી છે. વ્યાજ અને દંડમાંથી બચવા ૩૦ માર્ચ સુધી અરજી કરવાની રહે છે. યોજનાને એક સાહ બાકી છે. પરંતુ હજુ સુધી ૨૦થી ૨૫ ટકા વેપારીઓ જાગૃત થયા છે. સમય મર્યાદા દરમિયાન યોજનાનો લાભ નહીં લેવામાં આવે તો વેપારીઓને દડં અને વ્યાજ સહિતની રકમ ભરવી પડશે.
જીએસટી વિભાગ દ્રારા વર્ષ ૨૦૧૭થી ૨૦૨૦ના સમયગાળા દરમિયાન વેરો બાકી હોય તેવા વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. જોકે આ વેપારીઓને ફાયદા માટે સરકાર દ્રારા એસજીએસટીમાં એમનેસટી યોજના જાહેર કરવામાં આવી છે. ૨૦૧૭થી ૨૦૨૦ના સમયગાળા દરમિયાન અપાયેલ નોટિસના વેપારીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. યોજનામાં વેપારીઓને માત્ર વેરાની રકમ જ ભરવી પડશે. વ્યાજ અને દંડમાંથી મુકિત મળશે. ૩૦ માર્ચ સુધી આ યોજના કાર્યરત છે. જૂનાગઢ જીએસટી ડિવિઝન દ્રારા વેપારીઓના હિત માટે અને આર્થિક ફાયદાકારક યોજના અંગે માહિતગાર કરવા અને વેપારીને લાભ મળે તેવા હેતુથી ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ સેમિનાર યોજવામાં આવ્યા હતા. જૂનાગઢ ડિવિઝન દ્રારા ૧૫૦૦થી વધુ વેપારીઓને જુના લેણા પેટે નોટિસ ફટકારવામાં આવી છે.
સૂત્રોમાંથી પ્રા વિગત મુજબ યોજનાને હવે માત્ર એક સાહ બાકી છે પરંતુ હજુ સુધી ૨૦થી ૨૫ ટકા વેપારીઓએ જ આ યોજનાનો લાભ લેવા રસ દાખવ્યો છે.
યોજના અંતર્ગત વેપારીઓએ માત્ર વેરાની જ રકમ ભરપાઈ કરવાની રહેશે રકમ ભરપાઈ કર્યા બાદ ૩૦ જૂન ૨૦૨૫ સુધીમાં પોર્ટલ પર વ્યાજ અને દડં માફી માટે અરજી કરવાની રહેશે. આ ઉપરાંત વેપારીઓનો કેસ અપીલમાં પેન્ડિંગ હોય તો અપીલ પાછી ખેંચી વેરાની રકમની ચુકવણી કરી વ્યાજ અને દંડમાંથી મુકિત મેળવી શકશે. એક સાહ સુધી કાર્યરત જીએસટીની વેરા સહાય યોજનાનો સમયસર લાભ નહીં લેવામાં આવે તો વેપારીઓને દડં અને વ્યાજ સહિતની રકમ ભરવી પડશે. જીએસટી તત્રં દ્રારા વેરો બાકી હોય તેવા વેપારીઓને દડં અને વ્યાજની રકમમાં મુકિત મળે તે માટે કાર્યરત યોજનાનો લાભ લેવા અંતિમ તક હોવાનું જીએસટી વિભાગે જણાવ્યું છે. નોટિસ છતા નહિ ભરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ઘરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech