કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન અમુક ભાવિકો દટાયાની આશંકા

  • September 10, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચારધામ યાત્રા ચાલી રહી અને દેશભરમાં થી ભાવિકો ત્યાં દર્શને પહોચ્યા છે ત્યારે એક દુર્ઘટના સામે આવી છે. ઉત્તરાખંડના સોનપ્રયાગ અને દ્રપ્રયાગ વચ્ચે સોમવારે થયેલા ભૂસ્ખલનમાં કેટલાક પ્રવાસીઓ દટાયા હોવાની આશંકા સાથે રેસ્કયુ ઓપરેશન શ કરવામાં આવ્યું છે.
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર કેદારનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું છે. હાલમાં કાટમાળમાંથી મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રાહત કાર્ય ચાલી રહ્યું છે.જો કે હજુ સુધી કોઈ જાનહાનીની વિગતો સામે આવી નથી પરંતુ અમુક પ્રવાસીઓ દટાયા હોવાની આશંકા સાથે ટીમએ રેસ્કયુ ઓપરેશન શ કયુ છે અને કાટમાળ ફેંદવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટનાની જાણકારી આપી અને મુસાફરોની સુરક્ષાની કામના કરી. તેમણે ટિટર પર લખ્યું, અત્યતં દુ:ખદ સમાચાર મળ્યા છે કે સોનપ્રયાગ–મુંકટિયા (દ્રપ્રયાગ) વચ્ચે કેટલાક મુસાફરો કાટમાળ નીચે દટાયા છે.
સ્થાનિક વહીવટીતંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. હત્પં સંબંધિત અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છું અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યો છું.જો કે હજુ સુધી કોઈ હતાહત થયા ના અહેવાલ સાપડયા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application