હવે લેન્ડલાઈન નંબર ૧૦ અંકોના થઇ જશે

  • February 07, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ટ્રાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ બે દાયકા જૂની નેશનલ નંબરિંગ સિસ્ટમમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે. આ ભલામણના અમલ પછી દેશભરમાં લેન્ડલાઇન નંબરો બદલાશે. ટેલિકોમ રેગ્યુલેટરે તેના પ્રકાશનમાં જણાવ્યું હતું કે દેશમાં મોબાઇલ ફોન અને કનેકટેડ ડિવાઇસની સંખ્યામાં ઝડપથી વધારો થવાને કારણે નંબરિંગ સિસ્ટમમાં ફેરફાર કરવાની જર છે જેથી દરેકને વિશ્વસનીય ટેલિકોમ સેવાઓ પૂરી પાડી શકાય.
૨૦૨૨માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) એ ફિકસડ લાઇન નંબર અને તેના ટેલિકોમ કોડને ઠીક કરવા માટે એક નિર્દેશ જારી કર્યા પછી ટ્રાઈની ભલામણ કરવામાં આવી છે. ટેલિકોમ ઓપરેટરો અને નિષ્ણાતો તરફથી મળેલા પ્રતિસાદના આધારે ટેલિકોમ નિયમનકારે એક મોટો નિર્ણય લીધો છે.
ટ્રાઈએ પોતાની ભલામણમાં કહ્યું છે કે ફિકસડ લાઇન અથવા લેન્ડલાઇનની નંબરિંગ સિસ્ટમ મોબાઇલની જેમ ૧૦ અંકોની બનાવવાની જર છે. આના કારણે ઉપલબ્ધ નંબરોનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત, લેન્ડલાઇનથી લેન્ડલાઇન પર કોઈપણ કોલ કરતા પહેલા '૦' ડાયલ કરવાની જર પડશે. જોકે, મોબાઇલ દ્રારા ડાયલ કરવાની પ્રક્રિયા પહેલા જેવી જ રહેશે.
ટેલિકોમ નિયમનકારે આ ફેરફાર માટે ટેલિકોમ કંપનીઓને ૬ મહિનાનો સમય આપ્યો છે. આ ઉપરાંત, આગામી ૫ વર્ષમાં મોબાઇલ જેવી જ ફિકસડ લાઇન પોર્ટેબિલિટી સિસ્ટમ રજૂ કરવાની પણ યોજના છે. ટ્રાઈએ છેતરપિંડીના કોલથી રાહત આપવા માટે સીએનએપી એટલે કે કોલર આઈડી નેમ પ્રેઝન્ટેશન સર્વિસ ટૂંક સમયમાં શ કરવાનો નિર્દેશ આપ્યો છે. ટેલિકોમ કંપનીઓએ આ નવી સિસ્ટમ શકય તેટલી વહેલી તકે લાગુ કરવી જોઈએ. ઉપરાંત, નકલી નંબરોને રોકવા માટે વેરિફિકેશન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાની સલાહ આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application