જસદણ પંથકના વીંછિયાના થોરીયાળી ગામે લેન્ડગ્રેબિંગની અરજી કરનાર યુવાનની કુહાડાના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે બનાવને લઈ ભારે રોષ ફેલાયો હતો ખુદ કલેકટર દ્વારા ખાતરી અપાયા બાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. હજુ આ ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં જસદણ પંથકમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે.
જસદણના નવા ગામમાં રહેતા ભોજાણી બંધુઓએ નવાગામ ગ્રામ પંચાયત હસ્તકની સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કયર્િ બાદ તેને કાયદેસર બતાવવા માટે ગ્રામ પંચાયતનો ખોટો લેટર બનાવી તેમાં ગ્રામ પંચાયત પાસેથી તેણે આ જમીન 6 લાખમાં ખરીદી હોય તેવું લખાણ કરાવ્યું હતું. તેના આધારે ખોટો દસ્તાવેજ બનાવ્યો હતો.જે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં રજુ કર્યો હતો. આ અંગે જસદણના નવાગામના સરપંચની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ તાલુકાના નવા ગામમાં જૂની પ્રાથમિક શાળા પાસે રહેતા અને સરપંચ તરીકે સેવા આપ્નાર ગંગદેવભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ 54) દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અને જસદણના નવા ગામમાં જ રહેતા મનજી ઉર્ફે મનુ રૂપાભાઈ ભોજાણી અને વલ્લભ રૂપાભાઈ ભોજાણીના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે બીએનએસ કલમ 336 (2), (3), 38, 340(2) મુજબ ગુનો નોંધ્યો છે.
સરપંચે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી મનજી અને તેના ભાઈ વલ્લભે નવાગામમાં ગ્રામ પંચાયત હસ્તકની સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કર્યું હતું. જેથી તેને અવારનવાર આ દબાણ દૂર કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા કહેવામાં આવ્યું હતું તેમજ નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ આરોપી કોઈપણ રીતે દબાણવાળી આ જગ્યા પોતાના નામે કરવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા.
દરમિયાન આ બંને આરોપીઓએ આ જમીન પોતાના નામે કરી લેવા માટે નવાગામ ગ્રામ પંચાયતનો ખોટો લેટરપેડ બનાવી અથવા મેળવી આ લેટરપેડમાં આરોપીઓએ ગ્રામ પંચાયત પાસેથી આ જમીન ખરીદ કરી છે તેમજ તેમણે જમીન ખરીદી માટે સરપંચને રૂપિયા 6 લાખ આપ્યા છે તેવા લખાણવાળા લેટરપેડમાં નીચે સરપંચની ખોટી સહી કરી તેના આધારે ખોટો દસ્તાવેજ બનાવ્યો હતો. જે ખોટો દસ્તાવેજ સાચા તરીકે સાબિત કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં રજૂ કર્યો હતો. દરમિયાન આ દસ્તાવેજ શંકા જણાતા આ બાબતે તપાસ થતા દસ્તાવેજ ખોટો હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ આ બાબત ધ્યાનમાં આવતા નવા ગામના સરપંચ ગંગદેવભાઈ ચૌહાણ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે વધુ તપાસ પી.એસ.આઇ.આર.એસ.સાકરીયા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech