રાજકોટ અગ્નિકાંડમાં જમીનમાલિક અશોકસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. અશોકસિંહ જાડેજાની આંખે સાવ દેખાતું ન હોવાની ફરિયાદને લઈને પોલીસ પણ મુંજાઈ હતી. જો કે પોલીસ દ્વારા આંખોનું સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવાયું.
શું હતી ઘટના ?
રાજકોટના કાલાવડ રોડ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 28થી વધુ લોકોના મોત થયા હતા. પચીસથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તે સમયે અધિકારીઓએ કહ્યું હતું કે આગમાં મૃતકોની સંખ્યા વધી શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આગની ઘટના પર તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય માટે મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને સૂચના આપી હતી. તેમજ રાજ્ય સરકારે ફાયર એનઓસી ન ધરાવતા તમામ ગેમ ઝોનને બંધ કરવાની સૂચના આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યે ગેમિંગ એક્ટિવિટી માટે બનાવવામાં આવેલા ફાઈબર ડોમમાં આગ લાગી હતી. આ પછી કાયર કંટ્રોલ રૂમને આ અંગેની માહિતી મળતાં ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ આગને બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. આગના કારણે માળખું ધરાશાયી થયું હતું અને કાટમાળ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech