વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાલે ભાવનગર ખાતે લખપતિ દીદી કાર્યક્રમ

  • August 24, 2024 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આગામી તારીખ રપ ઓગસ્ટ- ૨૦૨૪ ના રોજ ભાવનગર ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવશે.
ભાવનગરના સરદારનગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલમાં યોજાનાર આ કાર્યક્રમમાં લખપતિ દીદીને સર્ટિફીકીટ વિતરણ, મોમેન્ટો, સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ ગ્રામ સંગઠનને સ્ટાર્ટઅપ ફંડ અને કલસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફંડ તથા કલસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવશે. તેમ ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબહેન જરૂએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application