શહેરના રેફયુજી કોલોનીમાં આવેલા સુખધામ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં સીનટેક્ષના ટાંકામાં રાખેલી બરણીમાંથી પિયા ૧.૦૩ લાખની ચોરીનો બનાવ બન્યો હતો. જે બનાવનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી પોપટપરામાં રહેતા બે શખસોને ઝડપી લીધા હતા. પોલીસે બેલડી પાસેથી પિયા ૮૪,૫૦૦ ની રોકડ કબજે કરી હતી.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતા કમલભાઇ દિલીપભાઇ પારવાણી(ઉ.વ ૨૫) દ્રારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવેલી હકિકત મુજબ,તેઓને રેફયુજી કોલોની શેરી નં.૧૦ માં સુખધામ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું આવેલું છે.અહીં તેઓ હિસાબની રકમ કારખાનામાં સિન્ટેકસના ટાંકામાં બરણીમાં રાખતા હતા. દરમિયાન તારીખ ૭૨૨૦૨૪ ના રાત્રીના સમયે કોઈ કારખાનામાં પ્રવેશને સીનટેકસના ટાંકામાં પ્લાસ્ટિકની બરણીમાંથી રોકડ પિયા ૧,૦૩,૨૫૦ ની ચોરી કરી ગયા હતા. જે અંગે કારખાનેદાર દ્રારા પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ચોરીની આ ઘટનાને લઇ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ બી.વી.ચુડાસમા તથા ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એએસઆઇ સી.એમ.ચાવડા, કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમા, ઇમરાનભાઈ ચુડાસમા અને અનોપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જંકશન મેઇન રોડ ગીતામંદિરની બાજુમાં પાસેથી આ ચોરી પ્રકરણમાં બે આરોપીઓ અજીમ ઉર્ફ અજીમભા દિલાવરભાઈ ફુલાની(ઉ.વ ૧૯ રહે. પોપટપરા શેરી નંબર ૧૬) અને મહમદઆસીફ ઉર્ફે બાપુ મોહમ્મદહનીફભાઈ કાદરી(ઉ.વ ૧૯ રહે. કૃષ્ણનગર શેરી નંબર ૫ પોપટપરા)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ પિયા ૮૪,૫૦૦ અને એક બાઈક સહિત કુલ પિયા ૧.૦૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી અગાઉ તેમના કોઈ મિત્ર મારફત અહીં કારખાને આટો મારવા ગયા હતા. દરમિયાન તેમણે અહીં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો બાદમાં રાત્રિના અહીં તાળું તોડી ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો છે. આરોપીઓ પૈકી અજીમ ઉર્ફે અજીમભા પ્ર.નગર પોલીસમાં દાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું માલુમ પડું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech