પત્ની રિસાઈને માવતરે ચાલી ગઈ હોવાથી ઝેર પી લઇ મોતને મીઠું કર્યું
ધ્રોલ તાલુકાના ગઢડા ગામમાં રહેતા એક શ્રમિક યુવાને પોતાની પત્નીના વિયોગમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પત્ની રિસાઈને માવતરે ચાલી ગઈ હોવાથી તેના વિયોગમાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
મૂળ મધ્યપ્રદેશના વતની, અને હાલ ધ્રોલ તાલુકાના ગઢડા ગામમાં રહેતા રઘુભા હેમુભા જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નવલસિંહ ઉસીયાભાઈ મંડલોઈ નામના 25 વર્ષના આદિવાસી શ્રમિક યુવાને પોતાની વાડીમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી પ્રદીપભાઈ ખુમસિંહ આદિવાસીએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન મૃતકની પત્ની બે દિવસ પહેલાં રિસાઈને તેના માવતરે ચાલી ગઈ હતી, જેથી તેને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech