કોલકાતામાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે બળાત્કારના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે. કોર્ટે આ મામલે રાજ્ય સરકાર, પોલીસ અને હોસ્પિટલ પ્રશાસનને આકરા સવાલો કર્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે આઠ સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ પણ આપ્યો હતો.
કોલકાતા ડૉક્ટર મર્ડર કેસ પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, પ્રિન્સિપાલ શું કરી રહ્યા છે. કોર્ટે પૂછ્યું કે પોલીસે ક્રાઈમ સીનનું રક્ષણ કેમ ન કર્યું. FIR દાખલ કરવામાં વિલંબ કેમ થયો? કોર્ટે કહ્યું કે, હોસ્પિટલમાં ડોકટરોના ચાલી રહેલા વિરોધને બળપૂર્વક બંધ ન કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે સીબીઆઈનો સ્ટેટસ રિપોર્ટ 22 ઓગસ્ટે મંગાવવાનો આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 22 ઓગસ્ટે થશે.
કોર્ટે ડોક્ટરોની સુરક્ષાને લઈને વ્યક્ત કરી ચિંતા
કોર્ટે કહ્યું કે, આ માત્ર હત્યાનો મામલો નથી. કોર્ટે ડોક્ટરોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે જ કોર્ટે પીડિતાની ઓળખ સોશિયલ મીડિયા પર જાહેર કરવા પર પણ ચિંતા વ્યક્ત કરી છે.
CJI એ પૂછ્યું કે, શું એ વાત સાચી છે કે પીડિતાના પરિવારને મૃતદેહ જોવાની મંજૂરી નથી. તેના પર પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કહ્યું કે, આવા આરોપો સાચા છે. કોર્ટે પૂછ્યું કે, મૃતદેહ વાલીને સોંપ્યાના સાડા ત્રણ કલાક પછી એફઆઈઆર કેમ દાખલ કરવામાં આવી?
નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવા જઈ રહી છે કોર્ટ
કોર્ટે આ ઘટના પર રાજ્ય સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટે ઘણા અઘરા સવાલો પૂછ્યા છે. કોર્ટે પૂછ્યું કે, પીડિતાની ઓળખ કેવી રીતે જાહેર થઈ? 7 હજાર લોકો હોસ્પિટલમાં ઘૂસ્યા ત્યારે પોલીસ ત્યાં શું કરી રહી હતી? અમે ગુરુવાર સુધીમાં સીબીઆઈ પાસેથી સ્ટેટસ રિપોર્ટ ઈચ્છીએ છીએ. અમે એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ બનાવવા જઈ રહ્યા છીએ. આ ટાસ્ક ફોર્સમાં AIIMSના ડાયરેક્ટર સામેલ હશે. ટાસ્ક ફોર્સ ત્રણ અઠવાડિયામાં વચગાળાનો રિપોર્ટ સબમિટ કરશે.
કોર્ટે ડોક્ટરોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી
કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, પિતૃસત્તાક વિચારસરણીના કારણે મહિલા ડોક્ટરોને વધુ નિશાન બનાવવામાં આવે છે. જેમ જેમ વધુને વધુ મહિલાઓ વર્કફોર્સમાં જોડાઈ રહી છે તેમ તેમ તેમની સુરક્ષા અંગેની ચિંતાઓ પણ વધી રહી છે.
રાજ્યપાલ બોઝ રાષ્ટ્રપતિને મળશે
સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ આચાર્ય ખોટી માહિતી આપી રહ્યા છે. તેમના નિવેદનમાં વિસંગતતાઓ છે. આ દરમિયાન બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્યપાલ બોસ ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી શકે છે.
મમતા સરકારમાં મહિલાઓ અસુરક્ષિત છેઃ રાજ્યપાલ
સોમવારે રાજ્યપાલે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેઓ રાજભવનમાં મહિલા નેતાઓ અને ડોક્ટરોને મળ્યા હતા. રાજ્યપાલે કહ્યું કે બંગાળ મહિલાઓ માટે સુરક્ષિત જગ્યા નથી. વર્તમાન સરકારે રાજ્યને મહિલાઓ માટે અસુરક્ષિત બનાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech