આજકાલ ધૂમ્રપાન જેવી આદતો લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગઈ છે. આ ઉપરાંત લોકો અન્ય ઘણા પ્રકારના તમાકુ ઉત્પાદનોનો પણ અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. તમાકુની થોડી માત્રા પણ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. લોકોને તેનાથી થતા નુકસાન વિશે જાગૃત કરવા દર વર્ષે 31 મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે.
શું છે પેસિવ સ્મોકિંગ ?
જે લોકો ધુમ્રપાન કરે છે તેની સાથે ઉભેલા લોકો કે જે ધુમ્રપાન નથી કરતા તે છે પેસિવ સ્મોકર. એટલે કે ધુમ્રપાન કરવાથી એવા લોકોને પણ નુકસાન થાય છે જે આસપાસ હોય છે. જો વ્યક્તિ સિગારેટ પીતા હોય એ વ્યક્તિની બાજુમાં ઉભા રહે છે અને તેનો ધુમાડો તેને નુકસાન પ્ડોન્ચડી શકે છે. તો તે વ્યક્તિ પેસિવ સ્મોકિંગ કરે છે એવું કહેવાય.
લોકો મોટાભાગે ધૂમ્રપાન માટે તમાકુનો ઉપયોગ કરે છે. તે માત્ર ધૂમ્રપાન કરનારાઓને જ ગંભીર નુકસાન પહોંચાડતું નથી પરંતુ તેની આસપાસના લોકોને પણ અસર કરે છે. ધૂમ્રપાનના વધતા જતા ચલણને કારણે ઘણા લોકો પેસિવ અથવા સેકન્ડહેન્ડ સ્મોકિંગનો શિકાર બન્યા છે અને આના કારણે સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થાય છે. જેમાં ધૂમ્રપાન ન કરો તો પણ સ્વાસ્થ્ય જોખમમાં રહે છે. તેનાથી બચવા માટે કેટલાક ઉપાયો છે.
ઊંડા શ્વાસ લેવાની કસરત કરો
પેસિવ સ્મોકિંગના ધુમાડાને ટાળવા માટે સૌથી અગત્યની બાબત એ છે કે ફેફસાંને મજબૂત બનાવવા. ઊંડા શ્વાસ લેવાની કસરત ફેફસાંની ક્ષમતા વધારવા અને તેમાંથી ઝેર દૂર કરવામાં સૌથી અસરકારક સાબિત થશે. આ માટે કપાલભાતિ અને અન્ય પ્રાણાયામ વગેરે અસરકારક સાબિત થશે.
સ્વસ્થ આહારનું પાલન કરો
કોઈપણ પ્રકારના રોગથી રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય તે મહત્વપૂર્ણ છે. એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ખોરાક લેવાથી સેકન્ડ હેન્ડ સ્મોકિંગથી થતા નુકસાનનો સામનો કરવામાં મદદ મળી શકે છે. આ માટે આહારમાં બેરી, સાઇટ્રસ ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી, ડ્રાય ફ્રુટ્સનો સમાવેશ કરી શકો છો.
નિયમિત વ્યાયામ કરો
નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવાથી ઘણા ફાયદા થાય છે. ફેફસાની ક્ષમતા અને તેના કાર્યને સુધારવા માટે દિનચર્યામાં કસરતનો સમાવેશ કરો. આ માટે વૉકિંગ, સ્વિમિંગ અને યોગ વગેરે કરી શકો છો.
એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો
બાહ્ય વાતાવરણ બદલી શકાતુ નથી. ત્યારે ઘરને સ્વચ્છ બનાવવા માટે એર પ્યુરિફાયરનો ઉપયોગ કરી શકો છો. આ ઘરમાં હાજર ધુમાડો અને અન્ય પ્રદૂષકોને ઘટાડવામાં મદદ કરશે.
પ્રકૃતિમાં સમય પસાર કરો
જો નિષ્ક્રિય ધુમાડાના જોખમને ટાળી શકતા નથી તો દરરોજ પ્રકૃતિમાં એકથી બે કલાક પસાર કરવાનો પ્રયાસ કરો. બગીચા, તળાવના કાંઠે કે ખુલ્લા મેદાનોમાં દરરોજ સમય પસાર કરવાથી તાજી હવા મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 90થી વધુ લોકોના મોત
July 02, 2024 07:17 PMજામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે કર્યો દેખાવ, રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા
July 02, 2024 07:07 PMજામનગરમાં રાહુલ ગાંધીનો વિરોધ કરી રહેલા હિન્દુ સેનાના કાર્યકરોની અટકાયત
July 02, 2024 07:02 PMરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech