જાણો NSG કમાન્ડો કેટલા દિવસો સુધી ખાધા-પીધા કે ઉંઘ્યા વગર કરે છે ટ્રેનિંગ, મળતી નથી કોઈ છૂટછાટ

  • August 31, 2024 09:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બધાએ ભારતના સૌથી ખતરનાક NSG કમાન્ડો વિશે સાંભળ્યું જ હશે. વડાપ્રધાન અને અન્ય VVIP લોકોની સુરક્ષામાં માત્ર NSGના બ્લેક કેટ કમાન્ડો જ તૈનાત છે. આ સિવાય NSG કમાન્ડો દેશની સુરક્ષા માટે આતંકવાદી હુમલા જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઓપરેશન કરે છે. આ કમાન્ડો માથાથી પગ સુધી કાળા કપડામાં ઢંકાયેલા હોય છે, તેથી તેમને બ્લેક કેટ કમાન્ડો કહેવામાં આવે છે.

NSG

નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) એ ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના સાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે. NSGમાં બ્લેક કેટ કમાન્ડોની સીધી ભરતી નથી. તેની તાલીમ માટે ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોના શ્રેષ્ઠ સૈનિકોની પસંદગી કરવામાં આવે છે. તેની તાલીમ ખૂબ મુશ્કેલ છે. જ્યારે NSGમાં પસંદ કરાયેલા કમાન્ડોમાંથી 53% કમાન્ડો ભારતીય સેનામાંથી આવે છે, બાકીના 45% કમાન્ડો CRPF, ITBP, RAS અને BSFમાંથી પસંદ કરવામાં આવે છે.


સૌથી મુશ્કેલ તાલીમ


NSG માટે કમાન્ડોની પસંદગી અનેક તબક્કામાં થાય છે. સૌ પ્રથમ  એક અઠવાડિયાની સખત તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં 80% સૈનિકો નિષ્ફળ જાય છે અને માત્ર 15 થી 20% સૈનિકો છેલ્લે સુધી પહોંચવામાં સફળ થાય છે. પસંદ કરાયેલા સૈનિકોને 90 દિવસની સખત તાલીમ આપવામાં આવે છે. આમાં તેમને હથિયારો સાથે અને હથિયારો વગર દુશ્મનોથી બચવા અને હુમલો કરવાની તાલીમ પણ આપવામાં આવે છે. આ તાલીમ દરમિયાન  વ્યક્તિએ આગ અને ગોળીઓના વરસાદ વચ્ચેથી પસાર થવું પડે છે. આ 3 મહિનાની ટ્રેનિંગ પાસ કરનાર સૈનિકો દેશના સૌથી ખતરનાક અને શક્તિશાળી કમાન્ડોમાં જોડાવા માટે લાયક બને છે.



NSG કમાન્ડોને કોઈ કારણ વગર સૌથી શક્તિશાળી કહેવામાં નથી આવતા. તેઓ તેમની અઘરી તાલીમમાં ઘણું બધું શીખે છે. તાલીમની શરૂઆતમાં સૈનિકોમાં 30% થી 40% ફિટનેસ હોય છે.  જે તાલીમના અંત સુધીમાં 80% થી 90% સુધી વધી જાય છે. તે જ સમયે નેશનલ સિક્યુરિટી ગાર્ડ કમાન્ડોને એક ગોળીથી એક વ્યક્તિને મારવાની તાલીમ આપવામાં આવે છે. કમાન્ડોને આંખો બંધ કરીને અને અંધારામાં લક્ષ્ય રાખવાની પણ તાલીમ આપવામાં આવે છે. NSG ડ્રાઇવરોને પસંદ કરવા માટે એક અલગ પ્રક્રિયા કરવામાં આવે છે. જેમાં જોખમી રસ્તાઓ, લેન્ડમાઇન અને હુમલાખોરોથી ઘેરાયેલા હોવાના કિસ્સામાં ડ્રાઇવિંગની તાલીમ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે એનએસજી કમાન્ડો ખાધા-પીધા કે ઊંઘ્યા વગર લગભગ 15 દિવસ સુધી પોતાનું ઓપરેશન કરી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application