તમે ગઢવી બહુ ફાટી ગયા છો કહેતાં છરી ઝીંકી હત્યા

  • March 07, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ગોંડલ રોડ પર રાજકમલ ફાટક પાસે ગત મોડી રાત્રીના યુવાનની છરીના ઘા ઝીકી હત્યા નિપજાવવા આવતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હત્યા કરનાર શખસ હિસ્ટ્રીશીટર હોવાથી પોલીસ સમક્ષ હાજર થઇ જતા તેને સંકજામાં લઇ કાયદેસરની ધરપકડની કાર્યવાહી કરી છે. ભોગ બનનાર અને આરોપી બંને ઈંડાની લારીએ નાસ્તો કરવા માટે ઉભા હતા ત્યારે મૃતકે આરોપીની મસ્કરી કરતા બનાવ હત્યા સુધી પહોંચ્યો હતો.

શહેરમાં લુખાઓ બેફામ અને બેખૌફ છે અને પોલીસ પોતાની કાર્યપ્રણાલીમાંથી બહાર આવતી નથી. શહેરમાં પોલીસ જેવી કોઈ ધાક જ ન હોઈ તેમ રોડ ઉપર પણ મહિલાઓ સહીત છુટાહાથની મારામારી કરતા અચકાતા નથી. આજ પોલીસની નબળી કામગીરીનો પુરાવો આપી રહ્યો છે. આ વચ્ચે ગત રાત્રીના ઢેબર રોડના ખુણા પર રિધ્ધી સિદ્ધિના નાલા પાસે ઈંડાની લારી પર નાસ્તો કરવા માટે ઉભેલા બે શખસો વચ્ચે સામાન્ય બોલાચાલી થયા બાદ ઉશ્કેરાટમાં મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો.

ગોંડલ ચોકડી પાછળ રિધ્ધી સિધ્ધિ સોસાયટીમાં રહેતાં અને કેટરર્સનો વ્યવસાય કરતા સંજયભાઈ મહેશભાઈ મારડીયા (ઉ.વ.૩૫) નામના યુવક ગત રાત્રીના રિધ્ધી–સિધ્ધિના નાલા પાસે નટરાજ દુકાનની સામે આવેલી ઈંડાની લારીએ જમવા ઉભા હતા ત્યારે ત્યાં અગાઉથી જ ઉભેલા ભરદાન ગઢવીની મસ્કરી કરી તમે ગઢવી બહત્પં ફાટી ગયાં છો કહેતાં ભરતદાન ઉશ્કેરાયો હતો અને બને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ભરતદાનએ નેફામાં રહેલી છરી કાઢી સંજયને ઘા ઝીકતા પડખા અને પેટના ભાગે ઇજા થતા સંજય લોહી લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડતા ભરતદાન નાસી ગયો હતો. બનાવના પગલે લોકોનાં ટોળા જામતા કોઈએ ૧૦૮ અને પોલીસને જાણ કરતા ભકિતનગર પોલીસ દોડી ગઈ હતી અને યુવકને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં પ્રાથમિક સારવાર બાદ દમ તોડી દીધો હતો.

પરિવારજનો કરવામાં આવતા હોસ્પિટલએ દોડી આવ્યા હતા અને સંજયના નિષ્પ્રાણ દેહને જોઈ પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક ત્રણ બહેનોએ એક નો એક ભાઈ હતો અને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. બનાવ અંગે ભકિતનગર પોલીસે મૃતકની પત્ની હિનાબેન સંજયભાઈ મારડીયાની ફરિયાદ પરથી ભરતદાન ગઢવી સામે આઈપીસી ૩૦૨ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જો કે પોલીસ ભરતદાનને પકડે પહેલા હ આરોપી પોલીસ સમક્ષ હાજર થઇ જતા ધરપકડ કરી હતી.


ભરતદાન ગઢવી પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર
ગઈકાલે યુવકને સામાન્ય બાબતે છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેનાર ભરતદાન ગઢવીને પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ભરતદાન ગઢવી મારામારી, ધમકી જેવા અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે અને પાસાની હવા પણ ખાઈ ચુકયો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application