ખંભાળિયા મામલતદાર દ્વારા તાજેતરમાં ખંભાળિયા શહેર તથા તાલુકાના ગામોમાં આવેલા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક સમા મંદિરોને ડીમોલીશન કરવાની નોટિસ આપવામાં આવેલ છે તે નોટિસ પાછી ખેંચી લેવા તથા મંદિરની જગ્યાઓને સરકારી ધારાધોરણ મુજબ ફી લઈને નિયમિત કરવા માટે નું વિશ્વ હિન્દુ પરિષદ ખંભાળિયા દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ હતું. સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો ને નિયમિત કરવા માટે ઈમ્પેકટ ફી લઈને નિયમિત કરવામાં આવે છે તેમ મંદિરો માટે પણ આવો કાયદો લઈ આવવો જોઈએ કે જેથી હિન્દુ ધર્મ ના ધાર્મિક ઉત્સવો તથા તહેવારો ને ઉજવવામાં અડચણ વગર ઉજવવા ની પ્રણાલી ભવિષ્ય માં પણ અવિરત ચાલુ રહે. આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળના હોદેદારો સર્વે મિલનભાઈ વારીયા, ઘનશ્યામસિંહ વાઢેર, મનીષભાઈ જેઠવા, ભુદેવ પ્રવિણસિંહ કંચવા તથા ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMI vs GT મેચમાં હાર્દિક પંડ્યા અને સાઈ કિશોર વચ્ચે થઈ હતી લડાઈ, જાણો સાઈ કિશોરે શું કહ્યું
March 30, 2025 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech