કેનેડામાં ભારતના પૂર્વ હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ ખાલિસ્તાન મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. ભારત પરત ફરતા પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે કેનેડાની ગુપ્તચર એજન્સી અને ખાલિસ્તાની આતંકવાદીઓ વચ્ચે કનેક્શન છે. કેનેડા સરકારે વમર્નિે એક કેસની તપાસમાં પર્સન ઓફ ઈન્ટરેસ્ટ બનાવ્યા હતા. આ પછી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ફરી તંગ બની ગયા.
પ્રાપ્ત માહિતી અનુસાર એક ઈન્ટરવ્યુમાં વમર્એિ કેનેડાની સરકાર પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, ખાલિસ્તાની ઉગ્રવાદીઓને હંમેશા પ્રોત્સાહન મળતું રહે છે. આ મારો આરોપ છે. હું એ પણ જાણું છું કે આ ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓ સીએસઆઈએસની સંપત્તિ છે. હું કોઈ પુરાવા આપતો નથી.
તેમણે કહ્યું, ’અમે કેનેડાની સરકાર પાસેથી માત્ર એટલું જ ઇચ્છીએ છીએ કે મારી ચિંતાઓને નિષ્ઠાપૂર્વક સમજે અને જેઓ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને સમર્થન ન આપે. તેમણે કહ્યું, ’ભારતમાં શું થશે તે ભારતના નાગરિકો નક્કી કરશે. આ ખાલિસ્તાનીઓ ભારતીય નાગરિકો નથી, તેઓ કેનેડાના નાગરિક છે અને કોઈ પણ દેશે તેના નાગરિકોને બીજા દેશના સાર્વભૌમત્વને પડકારવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
વમર્એિ તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. તેણે કહ્યું, મને બતાવો કે તે (વિદેશ પ્રધાન મેલાની જોલી) કયા નક્કર પુરાવા વિશે વાત કરી રહી છે. જ્યાં સુધી મારી વાત છે, તે રાજકીય રીતે પ્રેરિત વાત કરી રહી છે. ખાલિસ્તાન સમર્થકોની માહિતી મેળવવાના આરોપ પર તેમણે કહ્યું કે, ભારતના હાઈ કમિશનર રહીને મેં ક્યારેય આવું કંઈ કર્યું નથી. તેમણે કહ્યું કે કેનેડામાં ખાલિસ્તાન સમર્થક તત્વો પર નજર રાખવી રાષ્ટ્રીય હિતની બાબત છે. તેણે માહિતી આપી છે કે ટીમ ઓપ્ન સોર્સ દ્વારા માહિતી એકત્રિત કરતી હતી. તેણે કહ્યું, ’અમે અખબારો વાંચીએ છીએ. અમે તેમના નિવેદનો વાંચીએ છીએ. અમે પંજાબી સમજીએ છીએ, તેથી અમે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ વાંચીએ છીએ અને ત્યાંથી તારણો કાઢવાનો પ્રયાસ કરીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech