કેજરીવાલનું રાજીનામું, દિલ્હીના નવા સુકાની જાહેર

  • September 17, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તેઓ આજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે. આમ આદમી પાર્ટીએ વિધાયક દળની બેઠક બોલાવી છે, યાં દિલ્હીના નવા સીએમની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ કેજરીવાલ લેટનન્ટ ગવર્નરને મળશે અને રાજીનામું આપશે.
આમ આદમી પાર્ટીએ આજે પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કર્યા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે ૪.૩૦ વાગ્યે એલજીને મળશે અને રાજીનામું આપશે. સુત્રોના જણાવ્યા મુજબ કેજરીવાલના રાજીનામા પહેલા વિધાયક દળના નેતા અને દિલ્હીના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. આ અંગે સીએમ આવાસ પર બેઠક યોજાશે.
આપ નેતા સૌરભ ભારદ્રાજે કહ્યું કે અરવિંદ કેજરીવાલ નવા મુખ્યમંત્રીની પસંદગી અંગે આપની રાજકીય બાબતોની સમિતિની બેઠકમાં દરેક નેતાઓ સાથે સલાહ–સૂચન કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ મંગળવારે ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રી વિશે ચર્ચા કરશે.
મુખ્યમંત્રી પદની રેસમાં કેટલાક નામો એવા છે જેને લઈને અટકળોનું બજાર ગરમ છે. જેમાં સુનીતા કેજરીવાલ,આતિશી,સૌરભ ભારદ્રાજ, કૈલાશ ગેહલોત, ગોપાલ રાયનો સમાવેશ થાય છે.
દિલ્હીને નવા મુખ્યમંત્રી જ નહીં પરંતુ કેટલાક નવા મંત્રીઓ પણ મળી શકે છે. સૂત્રોનું માનીએ તો દિલ્હીની આખી કેબિનેટમાં ફેરફાર થવાનો છે. મંત્રીઓના પોર્ટફોલિયોમાં પણ ફેરફાર શકય છે. આવી સ્થિતિમાં નવા ધારાસભ્યોને કેબિનેટમાં તક આપવામાં આવી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application