સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને મોટી રાહત આપી છે. સીબીઆઈ કેસમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. કેજરીવાલ આજે સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવી જશે. તેને ઈડી કેસમાં પહેલા જ જામીન મળી ચૂકયા છે. જો કે કેજરીવાલને કેટલીક શરતો સાથે જામીન મળ્યા છે.
વાસ્તવમાં કેજરીવાલની અગાઉ ઇડી દ્રારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે કેસમાં જામીન મળ્યા બાદ સીબીઆઈએ જેલમાંથી જ તેમની ધરપકડ કરી હતી. આ મામલાની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉવલ ભુઈયાની ખંડપીઠે કરી હતી. આ દરમિયાન કેજરીવાલ વતી વરિ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા, યારે સીબીઆઈ વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ હાજર હતા.
દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉવલ ભુઈયાની બેન્ચે તેમની જામીન અરજી પર ચુકાદો આપ્યો છે.
સીબીઆઈ દ્રારા ૨૬ જૂને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ધરપકડને ગેરકાયદે ગણાવીને જામીન અરજી કરી હતી. ૫ સપ્ટેમ્બરે છેલ્લી સુનાવણીમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તેમની ધરપકડ ખોટી નથી. ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવાથી અને ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થવાની નથી, તેથી તેને લાંબા સમય સુધી જેલમાં રાખવાનું કોઈ વ્યાજબી નથી. અરવિંદ કેજરીવાલે ૧૦ લાખ પિયાના જામીન બોન્ડ ભરવા પડશે.
કેજરીવાલની ૨૧ માર્ચે ઇડી દ્રારા ધરપકડ કરવામાં આવી હતી. ૧૦ દિવસની પૂછપરછ બાદ તેને ૧ એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતો. ૧૦ મેના રોજ, તેમને સામાન્ય ચૂંટણીમાં પ્રચાર માટે ૨૧ દિવસ માટે મુકત કરવામાં આવ્યા હતા. ૫૧ દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુકત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ૧ જૂન સુધી મુકત કરવાની મંજૂરી આપી હતી. ૨ જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કયુ હતું. જો કેજરીવાલ આજે એટલે કે ૧૩મી સપ્ટેમ્બરે મુકત થાય છે તો જેલમાં વિતાવેલ કુલ સમય ૧૭૭ દિવસનો થશે. જો મુકિતના ૨૧ દિવસ ઓછા કરવામાં આવે તો કેજરીવાલ કુલ ૧૫૬ દિવસ જેલમાં રહ્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech