Kathua Firing: કઠુઆના હીરાનગરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, ત્રણ ઘાયલ

  • June 11, 2024 10:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિયાસીમાં બસ આતંકી હુમલા બાદ હવે કઠુઆના હીરાનગર વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓની સંખ્યા આઠ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ આ ફાયરિંગમાં ત્રણ લોકો ઘાયલ થયા છે અને તેમને કઠુઆ GACમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે.


જમ્મુ-કાશ્મીરના કઠુઆના હીરાનગર વિસ્તારમાં ગ્રામજનોએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે તેના એક્સ એકાઉન્ટ પર આ માહિતી આપી છે.


મળતી માહિતી મુજબ સુરક્ષા દળો ત્યાં પહોંચ્યા બાદ બંને તરફથી અથડામણ શરૂ થઈ ગઈ હતી અને આતંકીઓ હજુ પણ ફાયરિંગ કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓની સંખ્યા આઠ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે જગ્યાએ ગોળીબાર થઈ રહ્યો છે તેનાથી થોડે દૂર બુઆદતી દેવસ્થાનમાં મહિલાઓ અને બાળકો સહિત 13 લોકો એક રૂમમાં છે. ગ્રામજનોએ તેમની સુરક્ષાની માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application