દેશમાં ૮૩ ટકા લોકો બેરોજગાર કપિલ સિબ્બલનો વિચિત્ર દાવો

  • July 26, 2024 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા બાદ હવે રાયસભામાં પણ બજેટ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસી સાંસદ કપિલ સિબ્બલે એવો દાવો કર્યેા હતો કે દેશમાં ૮૩% યુવાનો બેરોજગાર છે. તેમને પોતાના આ દાવાના સમર્થનમાં એક અહેવાલનો હવાલો આપ્યો હતો.
કપિલ સિબ્બલે વધુમાં કહ્યું કે, આપણી વસ્તી લગભગ ૧૪૦ કરોડ છે, પરંતુ આઈએલઓના રિપોર્ટ અનુસાર દેશમાં ૮૩ ટકા યુવાનો બેરોજગાર છે. ૨૦૦૦ માં, આ બેરોજગારીનો આંકડો લગભગ ૫૦ ટકા હતો. બેરોજગારી એ કોઈ વસ્તુ નથી જે અચાનક થાય છે, તે ધીમે ધીમે થાય છે. બેરોજગારી પણ શિક્ષણ સાથે જોડાયેલી છે. ઇન્ટર્નશીપ કૌશલ્ય પેદા કરશે, ઇન્ટર્નશીપ તેમની સમસ્યાઓ હલ કરશે.

કપિલ સિબ્બલે વધુમાં કહ્યું કે, બેરોજગાર લોકો અસંગઠિત ક્ષેત્રમાં છે. સીએમઆઈઈના ડેટા અનુસાર, આપણી ૧૪૦ કરોડની વસ્તીમાંથી ૭૫% લોકો કામ કરતા વયજૂથમાં છે, જેમાંથી ૧૧૧ કરોડ લોકો બેરોજગાર છે. હવે તમે આના પરથી દેશની અર્થવ્યવસ્થાના સંકટની કલ્પના કરી શકો છો. મને લાગે છે કે નાણામંત્રીએ બજેટ દ્રારા લોકોને રોડમેપ આપવો જોઈતો હતો, પરંતુ કમનસીબે તે અમને આ રોડમેપ આપી શકયા નથી.

કપિલ સિબ્બલે કહ્યું, હત્પં અંગત રીતે માનું છું કે દેશની અર્થવ્યવસ્થા ભારે સંકટમાં છે. હત્પં તેને ટુંક સમયમાં સમજાવીશ. બજેટમાં કોને શું ફાળવવામાં આવ્યું તે બાજુ પર રાખો. સૌથી મહત્વની વાત એ છે કે આ બજેટ દ્રારા સરકારનું વિઝન શું છે, જે ખૂટે છે. હવે હત્પં તમને કહત્પં કે આપણી અર્થવ્યવસ્થા શા માટે મુશ્કેલીમાં છે.
કપિલ સિબ્બલે રાયોને વચનબદ્ધ સંસાધનોના ૪૨% ફાળવવામાં નિષ્ફળ રહેવા બદલ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે તેના બદલે માત્ર ૩૨% પ્રદાન કરવામાં આવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application